ચાર માળની વેલ ટ્રીટ હૉસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં સવારે ૮.૧૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી
પ્રતીકાત્મક તસવીર
નાગપુરની ખાનગી હૉસ્પિટલમાં લાગેલી આગમાં એક મહિલા સહિત ચાર પેશન્ટે જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય બે પેશન્ટ ગંભીર હાલતમાં છે. શુક્રવારે રાત્રે વાડી વિસ્તારમાં આવેલી ચાર માળની વેલ ટ્રીટ હૉસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં સવારે ૮.૧૦ વાગ્યે આગ ફાટી નીકળી હોવાનું જણાવતાં અધિકારીઓએ ઉમેર્યું હતું કે ‘આ નૉન-કોવિડ સુવિધા હતી, જેમાં ૩૧ પેશન્ટ સારવાર લઈ રહ્યા હતા. આમાંના ૧૦ પેશન્ટ આઇસીયુમાં દાખલ હતા. આગને કારણે ચાર પેશન્ટનાં મૃત્યુ થયાં હતાં. એમાંનો એક પેશન્ટ સંભવત: આગ લાગતાં પહેલાં જ મૃત્યુ પામ્યો હતો, પરંતુ તેના શરીર પર બળવાનાં કોઈ નિશાન નહોતાં. આ પેશન્ટનું મૃત્યુ આગને કારણે થયું હતું કે કેમ એ પોસ્ટમૉર્ટમના રિપોર્ટ પરથી જાણી શકાશે.’