Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચંદીગઢમાં છે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ: અહેવાલ

ચંદીગઢમાં છે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ: અહેવાલ

24 November, 2021 07:24 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ પોલીસે હાલમાં જ મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટમાં પરમબીર સિંહને જાહેર ગુનેગાર જાહેર કરવા અરજી કરી હતી. જેને સ્વીકારીને કોર્ટે પરમબીર સિંહને ફરાર જાહેર કર્યો હતો.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ચંદીગઢમાં છે. તેણે પોતે સમાચાર ચેનલ એબીપી ન્યૂઝને આ માહિતી આપી હોવાનો અહેવાલ ચેનલે આપ્યો છે. એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં તેણે કહ્યું કે “હું ચંદીગઢમાં છું અને કોર્ટના આદેશ અનુસાર આગળનાં પગલાં લઈશ.” અગાઉ મહારાષ્ટ્ર સરકારની માગ પર મુંબઈની એક કોર્ટે પરમબીર સિંહને ફરાર જાહેર કર્યો હતો.

મુંબઈ પોલીસે હાલમાં જ મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટમાં પરમબીર સિંહને જાહેર ગુનેગાર જાહેર કરવા અરજી કરી હતી. જેને સ્વીકારીને કોર્ટે પરમબીર સિંહને ફરાર જાહેર કર્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી પરમબીર સિંહને “ફરાર જાહેર” કરવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યો હતો. તે પછી પણ તે ભૂતપૂર્વ પોલીસ કમિશનરને શોધી શક્યા ન હતા.



રિકવરી કેસમાં પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાં, તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટ પાસે માગ કરી હતી કે તેમની સામે નોંધાયેલા તમામ કેસ રદ કરવામાં આવે અથવા સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવે. આ માગ પર કોર્ટે નોટિસ જારી કરી અને તેની ધરપકડ પર પણ રોક લગાવી દીધી હતી. કોર્ટે પરમબીરને તપાસમાં સહકાર આપવા પણ જણાવ્યું છે.


18 નવેમ્બરે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની બેન્ચે તેમના વકીલને પૂછ્યું હતું કે, “સૌથી પહેલા અમને જણાવો કે તે ક્યાં છે? શું તે દેશમાં છે કે તે ફરાર છે? આ માહિતી વિના આ મામલાની સુનાવણી થઈ શકે નહીં.”

ત્યારપછી જ્યારે 22 નવેમ્બરે આ મામલાની સુનાવણી શરૂ થઈ ત્યારે પૂર્વ પોલીસ કમિશનર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પુનીત બાલીએ ન્યાયાધીશોને કહ્યું કે “મેં તેમની સાથે અંગત રીતે વાત કરી છે. તે ભારતમાં છે, પરંતુ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરતા તેમને જોખમ છે.” તેથી જ તેઓ દેખાતા નથી.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2021 07:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK