Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : રોહામાંથી પૅન્ગોલિનની દાણચોરી કરનારી ત્રણ વ્યક્તિઓની ધરપકડ

મુંબઈ : રોહામાંથી પૅન્ગોલિનની દાણચોરી કરનારી ત્રણ વ્યક્તિઓની ધરપકડ

11 February, 2021 08:47 AM IST | Mumbai
Ranjeet Jadhav | ranjeet.jadhav@mid-day.com

મુંબઈ : રોહામાંથી પૅન્ગોલિનની દાણચોરી કરનારી ત્રણ વ્યક્તિઓની ધરપકડ

મુંબઈ-ગોવા હાઇવે પર રોહા નજીક ત્રણ વ્યક્તિઓ પાસેથી પૅન્ગોલિન મળ્યાં.

મુંબઈ-ગોવા હાઇવે પર રોહા નજીક ત્રણ વ્યક્તિઓ પાસેથી પૅન્ગોલિન મળ્યાં.


વન વિભાગના અધિકારીઓને તેમને મળેલી માહિતીના આધારે મંગળવારે મુંબઈ-ગોવા હાઇવે પર રોહામાંથી ત્રણ વ્યક્તિઓ પાસેથી પૅન્ગોલિન અને એનું બચ્ચું મળી આવ્યાં હતાં. શરીર પર ભીંગડાં ધરાવતા આ પ્રાણીને લુપ્ત થતી પ્રજાતિમાં મૂકવામાં આવ્યું છે અને વિશ્વમાં એની દાણચોરી સૌથી વધુ પ્રમાણમાં થતી હોવાનું મનાય છે. પ્રાથમિક જાણકારી મુજબ આ લોકો ચિપલૂણથી આવી રહ્યા હતા તથા તેમની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા આ લોકો જંગલી પ્રાણીઓની દાણચોરી કરનારી ટોળકી સાથે સંકળાયેલા છે કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે. એશિયામાં પૅન્ગોલિનનાં ભીંગડાંની માગ વધુ છે.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2021 08:47 AM IST | Mumbai | Ranjeet Jadhav

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK