મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે લૉકડાઉન જેવા પ્રતિબંધો 1લી જૂન સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. વાઇરસના ફેલાવાને અટકાવવા માટે સવારે સાત વાગ્યા સુધી બધું બંધ રખાશેનો નિર્ણય ચાલુ રખાયો છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે લૉકડાઉન જેવા પ્રતિબંધો 1લી જૂન સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. વાઇરસના ફેલાવાને અટકાવવા માટે સવારે સાત વાગ્યા સુધી બધું બંધ રખાશેનો નિર્ણય ચાલુ રખાયો છે. કેબિનેટની મિટીંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સર્ક્યુલર અનુસાર રાજ્યમાં પ્રવેશનાર વ્યક્તિ ભલે કોઇપણ રીતે આવે પણ તેની પાસે નેગેટિવ આરીટ-પીસીઆર હોવો અનિવાર્ય છે વળી તે રિપોર્ટ છેલ્લા મહારાષ્ટ્રકમાં પ્રવેશવાના 48 કલાક પહેલાં કરાવેલો હોય તે જરૂરી છે.
"આ અગાઉ જે ઓર્ડર હતો તેમાં જેમ જણાવ્યું હતું કે `સંવેદનશીલ સ્થળ` - સેન્સિટીવ ઓરિજન્સમાંથી આવેલ વ્યક્તિઓ પર તમામ પ્રતિબંધ અને નિયમો લાગુ પડશે, ભલે તે દેશના કોઇપણ ખૂણેથી આવતી હોય. "
ADVERTISEMENT
?Strict restrictions under #BreakTheChain extended till 1st June 2021? pic.twitter.com/QxEmW77ZlV
— CMO Maharashtra (@CMOMaharashtra) May 13, 2021
આ સુચનાપતર્ અનુસાર કાર્ગો કેરિયર્સ અંગે ડ્રાઇવર સાથે ક્લિનર સિવાયની એટલેકે માત્ર બે જ વ્યક્તિઓને રાજ્યમાં પ્રવેશ અપાશે અને તે કાર્ગોમાં આ બેથી વધુ જણ મુસાફરી નહીં કરી શકે. જો આ કાર્ગો કેરિયર્સ અન્ય રાજ્યોમાંથી આવ્યા હશે તો આરટી-પીસીઆર ટેસ્ટ સિવાય તેમને અહીં આવવાની છૂટ નહીં હોય તે છેલ્લા 48 કલાક પહેલાં કરાવેલો ટેસ્ટ હોવો અનિવાર્ય રહેશે અને તે સાત દિવસ માટે જ માન્ય ગણાશે.
"દૂધ એકઠું કરવું, ટ્રાન્સપોર્ટ અને પ્રોસેસિંગને માટે મોટેભાગે છૂટ અપાશે અને રિટેઇલ વિક્રેતાઓને વેચાણની પરવાનગી પણ અપાશે પણ આ સાથે દૂકાનો જે એસેન્શિયલ ચીજો વેચે છે તેમણે નિયમોને આધિન રહીને કામગીરી કરવાની રહેશે અથવા તો હોમ ડિલીવરી કરવાની રહેશે. એરપોર્ટ કે પોર્ટ સર્વિસમાં હોય તેવી વ્યક્તિ જેને દવાઓ કે કોવિડ-19નની સારવારમાં જરૂરી ચીજોના કાર્ગો સંબંધિત હિલચાલ કરવાની રહેશે તો તેમને લોકલ, મોનો અને મેટ્રો સર્વિસનો ઉપયોગ કરવાની છૂટ રહેશે." તેમ આ સર્ક્યુલરમાં જણાવાયું હતું.
આ પહેલાં જે પ્રતિબંધ હતા તે 15મી મે સુધી હતા અને ગાઇડલાઇન અનુસાર ખાનગી ઑફિસીઝ, નોન-એસેન્શિયલ શોપ્સ અને સંસ્થાઓ પુરી રીતે બંધ રખાશે. સેક્શન 144 હેઠળના પ્રતિબંધ લાગુ રહેશે અને પાંચ કે તેથી વધુ લોકોને એક સ્થળે ભેગા થવા પર પણ બંધી છે. હાલમાં શાકભાજીની દૂકાનો, કરિયાણા વાળા અને દૂધના વિક્રેતાઓ સવારે સાત વાગ્યાથી બપોરે 11 સુધી ખુલ્લા રહી શકે છે.