Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખારઘરમાં કેમિસ્ટના 16 સ્ટાફરના કોરોના રિપૉર્ટ પૉઝિટિવ આવતા ફફડાટ

ખારઘરમાં કેમિસ્ટના 16 સ્ટાફરના કોરોના રિપૉર્ટ પૉઝિટિવ આવતા ફફડાટ

28 July, 2020 12:59 PM IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

ખારઘરમાં કેમિસ્ટના 16 સ્ટાફરના કોરોના રિપૉર્ટ પૉઝિટિવ આવતા ફફડાટ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના કોને અને ક્યાંથી આવશે એની કોઈને ખબર નથી. પનવેલમાં સેક્ટર-૨૧માં આવેલી ઍપલ મેડિકલ સ્ટોરના કુલ ૧૬ જણ કોરોના-પૉઝિટિવ આવતાં આખા વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. પાલિકાએ તરત દુકાનને સીલ કરીને તમામ સ્ટાફને ઇલાજ માટે ઇન્ડિયા બુલ્સ કોવિડ સેન્ટર મોકલી આપ્યા છે.

પનવેલના ખારઘર વિસ્તારમાં સેક્ટર-૨૧માં આવેલી ઍપલ કેમિસ્ટ પનવેલ શહેરનું સૌથી મોટો મેડિકલ સ્ટોર છે, જેમાં દિવસે અનેક ગ્રાહકો આવતા હોય છે. એ સ્ટોરમાં કામ કરતા ૧૩ કર્મચારી એકસાથે પનવેલ સેક્ટર-૧૬માં રહે છે. શનિવારે સ્ટોરમાં કામ કરતા એક જણની તબિયત ખરાબ થઈ હતી. ત્યાર બાદ તેનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં તમામ સ્ટાફની કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાં તમામ સ્ટાફનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.



પનવેલ કૉર્પોરેશનનાં કૉર્પોરેટર લીના ગરાડે જણાવ્યું હતું કે ઍપલ મેડિકલ સ્ટોર ચતુર્ભુજ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી ખારઘરમાં આવેલું છે અને એમાં કુલ ૧૬ જણનો સ્ટાફ છે. તેમાંના ૧૩ જણ સેક્ટર-૧૬માં સાથે રહે છે. બાકીના ત્રણ પનવેલના બીજા વિસ્તારમાં રહે છે. આ મેડિકલમાં અનેક ગ્રાહકો આવે છે એથી હાલમાં આ મેડિકલ અને જે જગ્યાએ આ ૧૩ જણ રહેતા હતા એ વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. ખારઘરમાં આ સૌથી મોટી કેમિસ્ટની દુકાન હોવાથી આસપાસના લોકોમાં ભારે ડર બેસી ગયો છે.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2020 12:59 PM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK