Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાળાસાહેબ ઠાકરેના શિવાજી પાર્ક ખાતે બનનારા સ્મારકનું મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કર્યું ભૂમિપૂજન

બાળાસાહેબ ઠાકરેના શિવાજી પાર્ક ખાતે બનનારા સ્મારકનું મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કર્યું ભૂમિપૂજન

01 April, 2021 10:01 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કાર્યક્રમનું લાઇવ બ્રૉડકાસ્ટ કરવામાં આવ્યું હતું

ગઈ કાલે સવારે ઇન્ટરનૅશનલ એરપોર્ટ પાસે શિવાજીના પૂતળાને નમન કરીને આશીર્વાદ લઈ રહેલા રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે. (તસવીર: પી.ટી.આઇ.)

ગઈ કાલે સવારે ઇન્ટરનૅશનલ એરપોર્ટ પાસે શિવાજીના પૂતળાને નમન કરીને આશીર્વાદ લઈ રહેલા રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે. (તસવીર: પી.ટી.આઇ.)


શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેના રાષ્ટ્રીય સ્મારકનું શિવાજી પાર્ક ખાતે નિર્માણ થવાનું છે. ગઈ કાલે હિન્દુ પંચાંગ મુજબ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબ ઠાકરેના એ ભવ્ય સ્મારકનું ભૂમિપૂજન કર્યું હતું. કોરોનાને કારણે ઓછા લોકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જોકે એનું લાઇવ બ્રૉડકાસ્ટ કરવામાં આવ્યું હતું. ૪૦૦ કરોડના ખર્ચે બનનારું આ સ્મારક હાલ જ્યાં મેયરનો બંગલો છે ત્યાં બનાવવામાં આવશે. ત્યાં સ્મારક બનાવવા બાળાસાહેબ ઠાકરે નૅશનલ મેમોરિયલ ટ્રસ્ટ બનાવાયું હતું. હવે એ બંગલો એ ટ્રસ્ટને આપવામાં આવ્યો છે. આ સ્મારક બે તબક્કામાં બનાવવામાં આવશે. પહેલા તબક્કામાં સ્મારકના ભવનનું એક્સ્ટિરિયર આર્કિટેક્ચર, ઇન્ટીરિયર, પાર્કિંગ, ગાર્ડન, રેઇન વૉટર હાર્વેસ્ટિંગ અને અન્ય બાબતોને સાંકળી લેવાશે. બીજા તબક્કામાં લેઝર શો, ડિજિટલ મૅપિંગ, ઑડિયો-વિઝ્યુઅલ વર્ચ્યુઅલ રિયલિટીનો સમાવેશ થશે. સ્મારકના ભૂમિપૂજન વખતે ઉદ્ધવ ઠાકરેએ ડબલ માસ્ક પહેર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2021 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK