Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોવંડીમાં પતિએ જ કરી હતી પત્ની અને સંતાનોની હત્યા : પછી પોતે કર્યું હતું સુસાઇડ

ગોવંડીમાં પતિએ જ કરી હતી પત્ની અને સંતાનોની હત્યા : પછી પોતે કર્યું હતું સુસાઇડ

04 October, 2022 12:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શકીલ ખાન સામે પોલીસે હત્યાનો કેસ દાખલ કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગોવંડીમાં બે મહિના અગાઉ પત્ની અને બે સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા બાદ આત્મહત્યા કરી લેનારી વ્યક્તિ સામે પોલીસે કેસ કર્યો છે.

૨૯ જુલાઈએ પત્ની અને બે સંતાનોને ઝેર આપીને તેમની હત્યા કર્યા બાદ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેનારા ઇન્દિરાનગરમાં રહેતા શકીલ ખાન સામે પોલીસે હત્યાનો કેસ દાખલ કર્યો હોવાનું શિવાજીનગર પોલીસે જણાવ્યું હતું.



પોલીસે પ્રારંભમાં આકસ્મિક મોતનો રિપોર્ટ (એડીઆર) દાખલ કર્યો હતો, પણ મેડિકલ રિપોર્ટમાં પછીથી માલૂમ પડ્યું હતું કે શકીલ ખાને તેની પત્ની રઝિયા અને સંતાનો સરફરાઝ (સાત વર્ષ) અને અતિકા (ત્રણ વર્ષ)ને મારી નાખવા ઝેર આપ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2022 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK