શકીલ ખાન સામે પોલીસે હત્યાનો કેસ દાખલ કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
ગોવંડીમાં બે મહિના અગાઉ પત્ની અને બે સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા બાદ આત્મહત્યા કરી લેનારી વ્યક્તિ સામે પોલીસે કેસ કર્યો છે.
૨૯ જુલાઈએ પત્ની અને બે સંતાનોને ઝેર આપીને તેમની હત્યા કર્યા બાદ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેનારા ઇન્દિરાનગરમાં રહેતા શકીલ ખાન સામે પોલીસે હત્યાનો કેસ દાખલ કર્યો હોવાનું શિવાજીનગર પોલીસે જણાવ્યું હતું.
ADVERTISEMENT
પોલીસે પ્રારંભમાં આકસ્મિક મોતનો રિપોર્ટ (એડીઆર) દાખલ કર્યો હતો, પણ મેડિકલ રિપોર્ટમાં પછીથી માલૂમ પડ્યું હતું કે શકીલ ખાને તેની પત્ની રઝિયા અને સંતાનો સરફરાઝ (સાત વર્ષ) અને અતિકા (ત્રણ વર્ષ)ને મારી નાખવા ઝેર આપ્યું હતું.