Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > 31 ડિસેમ્બર સુધી ઈ-કૉમર્સ કંપનીઓનો ઉગ્ર વિરોધ કરવાની કૅઇટની ઘોષણા

31 ડિસેમ્બર સુધી ઈ-કૉમર્સ કંપનીઓનો ઉગ્ર વિરોધ કરવાની કૅઇટની ઘોષણા

20 November, 2020 09:47 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

31 ડિસેમ્બર સુધી ઈ-કૉમર્સ કંપનીઓનો ઉગ્ર વિરોધ કરવાની કૅઇટની ઘોષણા

ઈ-કૉમર્સ

ઈ-કૉમર્સ


કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી-કૅઇટ) દ્વારા આજથી ૩૧ ડિસેમ્બર સુધી ઈ-કૉમર્સ કંપનીઓ વિરુદ્ધ નિર્ણાયક યુદ્ધની ઘોષણા કરવામાં આવી છે. આ યુદ્ધ અંતર્ગત આ સંગઠન આજથી ૪૦ દિવસ સુધી ઍમેઝૉન સહિત બધી ઈ-કૉમર્સ કંપનીઓનો વિરોધ કરશે અને સરકાર પાસે તરત જ ઈ-કૉમર્સ પૉલિસી જાહેર કરવાની માગણી કરશે.

આ બાબતે માહિતી આપતાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ, મુંબઈ મહાનગરના અધ્યક્ષ શંકર વી. ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેશમાં ઈ-કૉમર્સ કંપનીઓ એફડીઆઇની સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી પૉલિસીના ધજાગરા ઉડાડી રહી છે. આ કંપનીઓ દેશના રીટેલ વેપાર પર કબજો કરવાનો મનસૂબો ધરાવે છે. અમારા ૪૦ દિવસના આંદોલન દરમ્યાન અમે કેન્દ્ર સરકાર સમક્ષ ઈ-કૉમર્સ પૉલિસી અને ઈ-કૉમર્સ રેગ્યુલેટરી ઑથોરિટી ગઠિત કરે કે તરત ઘોષણા કરવાની માગણી કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઈ-કૉમર્સ કંપનીઓને તેમના રાજ્યમાં માલ વેચવા પર રોક લગાડવાની જરૂર છે. આ કંપનીઓ સાથે ગેરકાયદે રીતે સંકળાયેલી અનેક બૅન્કો આ કંપનીઓના પોર્ટલ પરથી માલ ખરીદવા માટે ગ્રાહકોને કૅશ-બૅક અને ડિસ્કાઉન્ટની મોટી લાલચ આપે છે.



આ કંપનીઓ યોજનાબદ્ધ રીતે દેશનો ડેટા લીક કરે છે. એનું ઉદાહરણરૂપે શંકર ઠક્કરે કહ્યું હતું કે કોઈ સરકારી યોજના દ્વારા કાંઈ બુક કરવામાં આવે તો એ વ્યક્તિ પાસે તરત જ આ કંપનીઓનો મેસેજ પહોંચી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2020 09:47 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK