Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઍન્ટિલિયા બૉમ્બ-કેસમાં બુકી નરેશ ગૌરને જામીન

ઍન્ટિલિયા બૉમ્બ-કેસમાં બુકી નરેશ ગૌરને જામીન

21 November, 2021 01:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પેશ્યલ એનઆઇએ કોર્ટના જજ એ. ટી. વાનખેડેએ ગઈ કાલે ઍન્ટિલિયા બૉમ્બ-કેસ અને મનસુખ હિરણની હત્યાના કેસમાં તેના કથિત રોલ માટે ધરપકડ કરાયેલા ક્રિકેટ બુકી નરેશ ગૌરના જામીન મંજૂર કર્યા હતા. 

તસવીર/આશિષ રાજે

તસવીર/આશિષ રાજે


સ્પેશ્યલ એનઆઇએ કોર્ટના જજ એ. ટી. વાનખેડેએ ગઈ કાલે ઍન્ટિલિયા બૉમ્બ-કેસ અને મનસુખ હિરણની હત્યાના કેસમાં તેના કથિત રોલ માટે ધરપકડ કરાયેલા ક્રિકેટ બુકી નરેશ ગૌરના જામીન મંજૂર કર્યા હતા. 
આ કેસમાં બરતરફ કરાયેલા પોલીસ-અધિકારી સચિન વઝે મુખ્ય આરોપી છે. ઍડ્વોકેટ અનિકેત નિકમ દ્વારા ફાઇલ કરેલી જામીન અરજીમાં બુકી નરેશ ગૌરે કહ્યું હતું કે આ કેસમાં તેને માત્ર સચિન વઝેને સિમ-કાર્ડ મેળવી આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે નિર્દોષ છે અને તેને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યો છે. આ ગુના સાથે તેને કોઈ સંબંધ ન હોવાનો તેણે દાવો કરતાં કહ્યું હતું કે તેને માત્ર અને માત્ર અનુમાનના આધારે આ કેસમાં આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
ગૌરે તેની જામીન અરજીમાં વધુમાં ઉમેર્યું હતું કે મનસુખ હિરણની હત્યાના કેસમાં તેની સંડોવણીના કોઈ પુરાવા નથી. તે આ અગાઉ ક્યારેય મરનાર મનસુખ હિરણને મળ્યો નથી કે ક્યારેય તેનો સંપર્ક પણ કર્યો નથી. 


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2021 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK