Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Bombay HC: રસીકરણ વિનાના લોકોને મુંબઇ લોકલનો ઉપયોગ કરતા રોકવાનો નિયમ અતાર્કિક છે એ સાબિત કરો

Bombay HC: રસીકરણ વિનાના લોકોને મુંબઇ લોકલનો ઉપયોગ કરતા રોકવાનો નિયમ અતાર્કિક છે એ સાબિત કરો

10 January, 2022 05:41 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોર્ટે એમ પણ કહ્યું હતું કે રસીકરણ એ COVID-19 સામે લડવા માટે "એક શસ્ત્ર જેવું" છે અને જેઓએ ડોઝ લીધો નથી તેઓ આ કવચથી સુરક્ષા નથી મેળવી રહ્યા તો પછી કઇ રીતે લૉકલ ટ્રેનમાં મુસાફરી અંગેના પ્રતિબંધો હટાવી લેવાય.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


બોમ્બે હાઈકોર્ટે સોમવારે જણાવ્યું હતું કે Covid-19 સામે રસી ન અપાઈ હોય તેવા લોકોને મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાથી રોકવાની સરકારની નીતિનો વિરોધ કરનારાઓએ સાબિત કરવું પડશે કે આ નીતિ અતાર્કિક છે. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમએસ કર્ણિકની ખંડપીઠે કહ્યું કે આવું કહેનારાઓ સાબિત કરે કે આ નીતિ અતાર્કિક છે તો જ કોર્ટના આત્મા પર કોઇ અસર પડશે અને તેઓ લોકલ ટ્રેનની યાત્રા પર જે પ્રતિબંધો છે તેની પર કંઇ કામ કરશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે રસીકરણ એ COVID-19 સામે લડવા માટે "એક શસ્ત્ર જેવું" છે અને જેઓએ ડોઝ લીધો નથી તેઓ આ કવચથી સુરક્ષા નથી મેળવી રહ્યા તો પછી કઇ રીતે લૉકલ ટ્રેનમાં મુસાફરી અંગેના પ્રતિબંધો હટાવી લેવાય.

મુંબઈના રહેવાસી ફિરોઝ મીઠીબોરવાલા અને યોહાન ટેંગરા દ્વારા દાખલ કરવામાં આવેલી PILની સુનાવણી દરમિયાન હાઈકોર્ટની બેન્ચે આ અવલોકન કર્યું હતું. બંને અરજદારોએ કોર્ટને મહારાષ્ટ્ર સરકારની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાને રદ કરવાની વિનંતી કરી છે જેમાં માત્ર એન્ટી-Covid-19 રસીના બંને ડોઝ લેનારાઓને જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ છે. અરજદારોના વકીલ નિલેશ ઓઝાએ જણાવ્યું હતું. અદાલતે કહ્યું કે જેમણે રસી લીધી નથી તેવા લોકો સામે આવા પ્રતિબંધ ભેદભાવપૂર્ણ છે અને તે સમાનતા, જીવન અને સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે. જો કે, આ મહિનાની શરૂઆતમાં રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરી કહ્યું હતું કે આ પ્રતિબંધ વાજબી છે અને નાગરિકોના જીવન અને સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોને અસર નથી કરતા. રાજ્ય સરકારે કહ્યું કે તે આવા નિયંત્રણો લાદીને તે તમામ નાગરિકોના રક્ષકનો ભૂમિકા ભજવે છે, પોતાના કર્તવ્યનું પાલન કરે છે.



સરકારના એફિડેવિટનો ઉલ્લેખ કરીને હાઇકોર્ટની બેન્ચે સોમવારે ઓઝાને પૂછ્યું કે શા માટે કોર્ટે રાજ્યની નીતિમાં દખલ કરવી જોઈએ. કોર્ટે કહ્યું, "કોઈ એવું નથી કહેતું કે રસી લગાવેલા લોકો ક્યારેય Covid-19ના સંપર્કમાં નહીં આવે. સૌથી સુરક્ષિત લોકોને પણ ચેપ લાગ્યો છે. જો કે, રસી ભવિષ્યના રસીકરણ માટે ઢાલ તરીકે કામ કરશે. જેમણે રસીકરણ કરાવ્યું નથી તેમની પાસે આ કવચ નથી." કોર્ટ હવે આ મામલે આગામી સુનાવણી 17 જાન્યુઆરીએ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2022 05:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK