એકનાથ શિંદેના વડપણ હેઠળની રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને મુંબઈ સુધરાઈના વાર્ડની સંખ્યા ૨૩૬થી ઘટાડીને ૨૨૭ કરવાનો નિર્ણય લીધો હતો
ફાઇલ તસવીર
મુંબઈ : રાજ્ય સરકારે ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે જ્યાં સુધી મુંબઈ સુધરાઈના વૉર્ડની સંખ્યા ઘટાડવામાં આવે એ બદલની માગ કરતી અરજી પર સુનાવણી નથી થતી ત્યાં સુધી મુંબઈ મહાનગરપાલિકાની વૉર્ડ-રચનામાં કોઈ ફેરબદલ નહીં કરાય. હવે એ અરજીની સુનાવણી ૨૦ ડિસેમ્બરે રાખવામાં આવી છે.
એકનાથ શિંદેના વડપણ હેઠળની રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને મુંબઈ સુધરાઈના વાર્ડની સંખ્યા ૨૩૬થી ઘટાડીને ૨૨૭ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે રાજ્ય સરકારના આ નિર્ણયને બે નગરસેવકોએ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. આ પહેલાંની મહાવિકાસ આઘાડીની સરકારે બીએમસીના વૉર્ડની સંખ્યા ૨૨૭થી વધારીને ૨૩૬ કરી હતી.