Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બીએમસીના વૉર્ડ ૨૩૬ રહેશે કે પાછા ૨૨૭ થઈ જશે? આગામી સુનાવણી ૨૦ ડિસેમ્બરે

બીએમસીના વૉર્ડ ૨૩૬ રહેશે કે પાછા ૨૨૭ થઈ જશે? આગામી સુનાવણી ૨૦ ડિસેમ્બરે

01 December, 2022 09:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકનાથ શિંદેના વડપણ હેઠળની રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને મુંબઈ સુધરાઈના વાર્ડની સંખ્યા ૨૩૬થી ઘટાડીને ૨૨૭ કરવાનો નિર્ણય લીધો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈ : રાજ્ય સરકારે ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે જ્યાં સુધી મુંબઈ સુધરાઈના વૉર્ડની સંખ્યા ઘટાડવામાં આવે એ બદલની માગ કરતી અરજી પર સુનાવણી નથી થતી ત્યાં સુધી મુંબઈ મહાનગરપાલિકાની વૉર્ડ-રચનામાં કોઈ ફેરબદલ નહીં કરાય. હવે એ અરજીની સુનાવણી ૨૦ ડિસેમ્બરે રાખવામાં આવી છે.

એકનાથ શિંદેના વડપણ હેઠળની રાજ્ય સરકારે નો​ટિફિકેશન બહાર પાડીને મુંબઈ સુધરાઈના વાર્ડની સંખ્યા ૨૩૬થી ઘટાડીને ૨૨૭ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે રાજ્ય સરકારના આ નિર્ણયને બે નગરસેવકોએ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. આ પહેલાંની મહાવિકાસ આઘાડીની સરકારે બીએમસીના વૉર્ડની સંખ્યા ૨૨૭થી વધારીને ૨૩૬ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2022 09:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK