પક્ષના રાજ્યસ્તરના સંમેલનમાં ફડણવીસે કહ્યું હતું
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્ર બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર બેધડક ખોટું બોલતી હોવાનો ગુરુવારે આક્ષેપ કર્યો હતો અને મરાઠા, ઓબીસી અનામત, કોવિડ-19 ક્ષેત્રે કામગીરી, વઝે કેસ જેવા મુદ્દાઓ પર રાજ્ય સરકારની ટીકા કરી હતી.
પક્ષના રાજ્યસ્તરના સંમેલનમાં ફડણવીસે કહ્યું હતું કે જ્યાં સુધી સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસી પુનઃ સ્થાપિત કરવામાં ન આવે ત્યાં સુધી બીજેપી એનું આંદોલન વેગવાન બનાવતું રહેશે. તેમણે જણાવ્યું હતું કે ‘આ ખોટું છે, પણ મને લાગે છે કે આપણે આ સરકાર પાસેથી શીખવાની જરૂર છે. મહાવિકાસ આઘાડી સરકાર જે રીતે આત્મવિશ્વાસથી
ADVERTISEMENT
જુઠ્ઠાણું ફેલાવે છે એનાથી હું અવાચક થયો છું. આપણે જુઠ્ઠાણું ફેલાવવાનું નહીં, બલ્કે આત્મવિશ્વાસ પ્રાપ્ત કરતાં શીખવાનું છે.’