Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એમએનએસ સાથે યુતિ કરવા કેન્દ્રની પરવાનગી લેવી પડશે: ચંદ્રકાંત પાટીલ

એમએનએસ સાથે યુતિ કરવા કેન્દ્રની પરવાનગી લેવી પડશે: ચંદ્રકાંત પાટીલ

03 August, 2021 02:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પત્રકારો સાથેની વાતચીતમાં ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું

ચંદ્રકાંત પાટીલ

ચંદ્રકાંત પાટીલ


શિવસેના સાથે છેડો ફાડ્યા બાદ બીજેપીની હવે મરાઠીઓના મત મેળવવા માટે રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) સાથે યુતિ કરવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. જોકે આ બાબતે અત્યાર સુધી બીજેપી કે એમએનએસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન કરાયા નથી. આવા સમયે બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ગઈ કાલે કહ્યું હતું કે બીજેપી કોઈની પણ સાથે યુતિ કરવાની ઘાઈ નહીં કરે. રાજ ઠાકરેની પાર્ટી સાથે યુતિ કરવા માટે કેન્દ્રના નેતાઓની પરવાનગી લેવી પડશે.

પત્રકારો સાથેની વાતચીતમાં ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે ‘રાજ ઠાકરે મને ગમતા રાજકીય નેતા છે. તેઓ સારું બોલવાની સાથે સાચું બોલે છે. તેમણે મને એક ક્લિપ મોકલી છે, જે મેં સાંભળી. એક-બે દિવસમાં હું રાજ ઠાકરેને મળવાનો છું. મારા મનમાં ચાલી રહેલા સવાલ હું તેમની સામે માંડીશ. તેમની સાથે યુતિ કરીશું તો તેના પડઘા દેશભરમાં પડશે એટલે આ માટે કેન્દ્રના નેતૃત્વની પરવાનગી લેવી પડશે.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2021 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK