Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ્યપાલના બંગલાની જગ્યા શિવસ્મારક માટે આપી દો, રાજ્યપાલ મોટા કે છત્રપતિ?

રાજ્યપાલના બંગલાની જગ્યા શિવસ્મારક માટે આપી દો, રાજ્યપાલ મોટા કે છત્રપતિ?

Published : 15 April, 2025 07:40 AM | Modified : 16 April, 2025 07:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજેની માગણી

રાજ્યસભાના સંસદસભ્ય ઉદયનરાજ, રાજભવનની જમીન

રાજ્યસભાના સંસદસભ્ય ઉદયનરાજ, રાજભવનની જમીન


મહારાષ્ટ્રના રાજ્યપાલના નિવાસસ્થાન માટે મુંબઈમાં ૪૮ એકર જમીન ફાળવવામાં આવી છે. આ વિશે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને રાજ્યસભાના સંસદસભ્ય ઉદયનરાજેએ ગઈ કાલે સાતારામાં પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળીને છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક સમુદ્રમાં બનાવવાની માગણી કરી હતી. સમુદ્રમાં સ્મારક બનાવવાનું શક્ય ન હોય તો મુંબઈમાં રાજભવનની જમીન ફાળવવામાં આવે. રાજ્યપાલનું નિવાસસ્થાન ૪૮ એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે. રાજભવન માટે આઠ એકર જમીન પૂરતી છે. અરબી સમુદ્રમાં સ્મારક બનાવવામાં અનેક મુશ્કેલી થશે. આથી રાજભવનની જમીનમાંથી કેટલીક જગ્યામાં સ્મારક બનાવવામાં આવે. જરૂર લાગે તો રાજ્યપાલના રહેવા માટે બીજી જગ્યા બાંધી આપો. મેયરના બંગલામાં બાળાસાહેબ ઠાકરેનું સ્મારક બની જ રહ્યું છે એવી રીતે રાજભવનની જગ્યામાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક બની શકે છે. રાજ્યપાલ મોટા કે છત્રપતિ?’


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2025 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK