Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં નિલંબિત કરાયા તો ભર્યુ આવું પગલુ

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં નિલંબિત કરાયા તો ભર્યુ આવું પગલુ

05 December, 2021 06:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ચતુર્વેદી સહિત રાજ્યસભાના 12 સભ્યોને હાલના સત્રના બાકીના સમયગાળા માટે અધ્યક્ષ દ્વારા બેકાબૂ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રિયંકા ચતુર્વેદી (ફાઈલ ફોટો)

પ્રિયંકા ચતુર્વેદી (ફાઈલ ફોટો)


શિવસેના (Shiv sena)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી (Priyanka chaturvedi)એ રવિવારે સંસદ ટીવી છોડી દીધું છે. રાજ્યસભામાંથી સસ્પેન્શનના વિરોધમાં તેમણે આ પગલું ભર્યું હતું. ચતુર્વેદી સહિત રાજ્યસભાના 12 સભ્યોને હાલના સત્રના બાકીના સમયગાળા માટે અધ્યક્ષ દ્વારા બેકાબૂ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સાંસદ પ્રિયંકા ચતુર્વેદી સંસદ ટીવીના શો `મેરી કહાની`ની એન્કર હતી. 5 ડિસેમ્બરે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને લખેલા પત્રમાં સાંસદ ચતુર્વેદીએ લખ્યું હતું કે, `મારા મનસ્વી સસ્પેન્શને સ્થાપિત સંસદીય ધોરણો અને નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન કર્યું છે. મારા અવાજને દબાવવા માટે, મારા પક્ષના અવાજને ચેમ્બરની અંદર રાખવામાં ન આવે તે માટે આ પગલું ભરવામાં આવ્યું હતું. જ્યારે મને બંધારણના મારા પ્રાથમિક શપથ પૂરા કરવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે ત્યારે હું સંસદ ટીવીમાં સેવા આપવા તૈયાર નથી.`



ઓગસ્ટમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં અધ્યક્ષ નાયડુ દ્વારા વિપક્ષના 12 સાંસદોને અભદ્ર વર્તન બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાંથી છ કોંગ્રેસના બે-બે શિવસેના અને તૃણમૂલ અને એક-એક સીપીઆઈ(એમ) અને સીપીઆઈના છે. આ કાર્યવાહી ગત સોમવારે કરવામાં આવી હતી. આ તમામ સાંસદોને ચાલુ શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષે આ સસ્પેન્શનને અલોકતાંત્રિક અને ઉપલા ગૃહના નિયમો અને પ્રક્રિયા વિરુદ્ધ ગણાવ્યું છે.


અધ્યક્ષ નાયડુને લખેલા પત્રમાં પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, `આ સસ્પેન્શન મારા સંસદીય ટ્રેક રેકોર્ડને બગાડવા માટે કરવામાં આવ્યું છે.` `મેરી કહાની` કાર્યક્રમના સ્પષ્ટ સંદર્ભમાં તેમણે કહ્યું, મહિલા સાંસદોને તેમની મુસાફરી શેર કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરવાના મારા યોગદાનનું અપમાન કરવા માટે પણ આ પગલું લેવામાં આવ્યું છે, જ્યારે આ પહેલ મારી ફરજોથી આગળ વધી ગઈ છે. હું તેને અન્યાય માનું છું, પરંતુ અધ્યક્ષની નજરમાં તે માન્ય છે.`


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2021 06:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK