Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ ગંદકીથી લોકો હેરાન-પરેશાન

આ ગંદકીથી લોકો હેરાન-પરેશાન

27 December, 2012 07:42 AM IST |

આ ગંદકીથી લોકો હેરાન-પરેશાન

આ ગંદકીથી લોકો હેરાન-પરેશાન




શિરીષ વક્તાણિયા

ગિરગામ કોર્ટ પાસેની પરીખ સ્ટ્રીટમાં આવેલા નાઝ સિનેમાના પ્રાઇવેટ રસ્તા પરથી પસાર થનારા રહેવાસીઓએ મિડ-ડે LOCALને કરેલી લેખિત ફરિયાદને આધારે આ પ્રાઇવેટ રસ્તા પર કરવામાં આવેલા નિરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે આ વિસ્તારના બિલ્ડિંગની ગટર લાઇનો તૂટી ગઈ છે, એથી આ પ્રાઇવેટ રસ્તા પર ગટરનું પાણી જમા થઈ રહ્યું છે. એને કારણે હજારોની સંખ્યામાં રોજ આ રસ્તા પરથી બાલકૃષ્ણ મંદિરમાં જતા સિનિયર સિટિઝનો તથા આ રસ્તા પર આવેલા અશોક હાઇ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ત્રાસ વેઠવો પડી રહ્યો છે. આ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી નાઝ સિનેમાથી થઈને લૅમિંગ્ટન રોડ પર નીકળાય છે.

પરીખ સ્ટ્રીટ પર આવેલા ઋષભ અપાર્ટમેન્ટમાં રહેતા ૭૧ વર્ષના હરીશ સુતરિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રોજ સવારે મંદિર જવા માટે મને આ પ્રાઇવેટ રસ્તા પર પડેલા ગટરના પાણીને ઓળંગીને પસાર થવું પડે છે. આ રસ્તો એટલો ગંદો છે કે અમારું આરોગ્ય હાલમાં જોખમમાં મુકાઈ ગયું છે. આ ગંદકીને કારણે અમારા વિસ્તારમાં રોગ પણ ફેલાઈ રહ્યો છે. સુધરાઈને પણ અમે આ રસ્તાની ગંદકી માટે ઘણી વાર ફરિયાદ કરી હતી, પણ આ રસ્તો પ્રાઇવેટ રસ્તો છે એમ કહી સુધરાઈએ રસ્તો સાફ કરવાની ના પાડી દીધી હતી.’

આ વિસ્તારમાં આવેલા વિજય ચેમ્બર્સ નામના બિલ્ડિંગમાં રહેતાં ૬૪ વર્ષનાં ગૃહિણી પુષ્પા મોદીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મંદિરમાં જવા રોજ અમારે આ ગટરના પાણીવાળા રસ્તાથી પસાર થવું પડે છે. આ ગંદકીને લીધે અમારા વિસ્તારના ઘણા લોકો મલેરિયા જેવા રોગથી પીડાઈ રહ્યા છે. આ પ્રાઇવેટ રસ્તાથી પસાર થનારા ઘણા લોકો સ્લિપ પણ થયા છે અને તેમને ઈજાઓ પણ પહોંચી છે. આ કમ્પાઉન્ડ મંગલદાસ ટ્રસ્ટનું છે અને તેમણે જલ્ાદીથી જ આ બાબતે કોઈ કાર્યવાહી કરવી જોઈએ.’

મંગલદાસ ટ્રસ્ટના માલિક નીતિન મંગલદાસે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ ગટરના પાણીની ગંદકી માટે આ બિલ્ડિંગના રહેવાસીઓ અને મંદિરમાં રહેતા પૂજારીઓ જ જવાબદાર છે. સુધરાઈને અમે પણ ઘણી વાર અહીંના રહેવાસીઓ અને પૂજારીઓ વિરુ¢ ફરિયાદ કરી છે, પણ સુધરાઈ કોઈ કાર્યવાહી કરતી નથી. અમે રહેવાસીઓને તેમના ઘરની બહાર કચરાનો ડબ્બો રાખવાની સલાહ આપી હતી, તેમ છતાં તેઓ ગંદકીમાં વધારો કરી કમ્પાઉન્ડમાં જ કચરો નાખી રહ્યા છે.’

મંદિરના છાપરા પરથી ગટરનું પાણી વહે છે


શંકર ભગવાનના શિવલિંગ પરથી દૂધ વહે છે એવી જ રીતે તૂટેલા ગટરની પાઇપ-લાઇનોને કારણે આ મંદિર પરથી ગટરનું પાણી વહી રહ્યું છે, એથી આ મંદિરમાં જતા ભક્તો પણ ઘણા રોષે ભરાયા છે.



Whatsapp-channel Whatsapp-channel

27 December, 2012 07:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK