Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એકાદ દિવસની લાગતી બાળાનું ગળું દબાવીને હત્યા થઈ હોવાની આશંકા

એકાદ દિવસની લાગતી બાળાનું ગળું દબાવીને હત્યા થઈ હોવાની આશંકા

04 December, 2012 06:03 AM IST |

એકાદ દિવસની લાગતી બાળાનું ગળું દબાવીને હત્યા થઈ હોવાની આશંકા

એકાદ દિવસની લાગતી બાળાનું ગળું દબાવીને હત્યા થઈ હોવાની આશંકા







શ્રીરામ સહારા નામની સોસાયટીના ગેટ પાસે પડેલી કચરાપેટીમાંથી આ શિશુનો મૃતદેહ મળ્યો હતો. ગઈ કાલે સવારે જ્યારે સફાઈ-કર્મચારીઓ કચરાપેટીની સફાઈ કરી રહ્યા હતા ત્યારે પેટીમાંથી તેમને પ્લાસ્ટિકની થેલી મળી હતી. કર્મચારીઓએ ખોલીને જોતાં અંદરથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક રહેવાસી અને કર્મચારીઓએ તરત ભાઈંદર પોલીસ-સ્ટેશને આની જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરીને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં મોકલ્યો હતો.

આ વિશે વધુ માહિતી આપતાં કેસ સંભાળી રહેલા ભાઈંદર પોલીસ-સ્ટેશનના એએસઆઇ ચંદ્રકાન્ત કોળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મોકલાવવામાં આïવ્યો છે. રર્પિોટ આવે ત્યારે વધુ માહિતી મળી શકશે. નવજાત બાળકી લગભગ એકાદ-બે દિવસની જ લાગી રહી છે. પ્રાથમિક તપાસમાં તેનું ગળું દબાવીને મારી નાખી હોય એવું લાગી રહ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2012 06:03 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK