ફેસબુક અકાઉન્ટના બીજા એક યુઝરને મળી ધમકી
લૉ ફર્મમાં કામ કરતા કરણે રવિવારે સુધરાઈની માલિકીના શિવાજી પાર્કમાં બાળ ઠાકરેના અગ્નિસંસ્કાર વિશે કમેન્ટ પાસ કરી હતી. આને કારણે ગઈ કાલે બપોરે ૧.૫૦ વાગ્યાની આસપાસ તેને માહિમના પબ્લિક બૂથમાંથી ફોન આવ્યો હતો જેના કૉલરે તેને ધમકાવ્યો હતો તેમ જ ફેસબુક પર કમેન્ટ પોસ્ટ કરવા બદલ ધમકી આપી હતી. તેણે ત્રણ વખત ફોન કર્યો હતો, પણ કરણે કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. આ વિશે વાત કરતાં કરણે કહ્યું હતું કે ‘ફોન કરનારે મને ધમકી આપી હતી કે તે પાંચસો લોકોને લાવીને મને બહુ હેરાન કરશે. તેણે મને ખરાબ શબ્દોમાં ધમકાવ્યો હતો જેને કારણે મેં ફેસબુક પરથી કમેન્ટ ડિલીટ કરી નાખી છે.’
ADVERTISEMENT