Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ITનો ખુલાસો, સોનુ સૂદ અને તેના સહયોગી દ્વારા 20 કરોડ ટેક્ષની ચોરી

ITનો ખુલાસો, સોનુ સૂદ અને તેના સહયોગી દ્વારા 20 કરોડ ટેક્ષની ચોરી

18 September, 2021 02:26 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આવકવેરા વિભાગે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, અભિનેતા સોનુ સૂદ અને તેના સહાયકોએ 20 કરોડથી વધુની કરચોરી કરી છે.

સોનુ સૂદ

સોનુ સૂદ


અભિનેતા સોનુ સુદના ઘરે ઈન્કમ ટેક્ષ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંગે આવકવેરા વિભાગે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, અભિનેતા સોનુ સૂદ અને તેના સહાયકોએ 20 કરોડથી વધુની કરચોરી કરી છે. મુંબઈમાં ત્રણ દિવસ સુધી અભિનેતાને શોધ્યા બાદ 48 વર્ષના સોનુ સૂદે તાજેતરમાં દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. આવકવેરા વિભાગ અનુસાર, સોનુ સૂદની એનજીઓએ આવા વ્યવહારોની દેખરેખ રાખતા ઓવરસીઝ ડોનર્સ (રેગ્યુલેશન) એક્ટના ઉલ્લંઘનમાં ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વિદેશી દાતાઓ પાસેથી 2.1 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર, સોનુ સુદે અત્યાર સુધીમાં 20 કરોડથી વધુની આવકવેરા ચોરીક કરી હોવાનો ખુલાસો થયો છે. 



28 જગ્યા પર થઈ તપાસ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) અનુસાર, અભિનેતા અને તેના સહયોગીઓના ઘરોની તપાસમાં કરચોરી સંબંધિત વાંધાજનક સામગ્રી મળી આવી હતી. સર્ચ ઓપરેશનમાં મુંબઈ, લખનૌ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુરુગ્રામમાં ફેલાયેલા કુલ 28 પરિસરનો સમાવેશ છે. 


તપાસમાં મળેલા પુરાવા
આઈટી વિભાગે જણાવ્યું હતું કે, `અભિનેતા અને તેના સહયોગીઓના પરિસરમાં સર્ચ ઓપરેશન દરમિયાન કરચોરી સંબંધિત ચોંકાવનારા પુરાવા મળ્યા છે. આવકવેરા વિભાગનો દાવો છે કે અત્યાર સુધીની તપાસ દરમિયાન આવી 20 કંપનીઓ શોધી કાઢવામાં આવી છે, જેમાં સોનુ દ્વારા અસુરક્ષિત લોન બતાવવામાં આવી હતી, જ્યારે આ પૈસા તેની પોતાની કમાણીના હતા.

સોનુ સૂદને તાજેતરમાં આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી માર્ગદર્શન કાર્યક્રમ માટે એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. AAP એ અભિનેતા સામેની કાર્યવાહીની નિંદા કરી છે અને દાવો કર્યો છે કે સરકાર તેને બહાર ફેંકી રહી છે કારણ કે તે ગરીબો માટે `મસીહા` છે. આપ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોનુ સૂદના સમર્થનમાં ટ્વિટ કરીને કહ્યું કે બોલીવુડ અભિનેતા પાસે લાખો પરિવારોની પ્રાર્થના છે જેમણે મુશ્કેલ સમયમાં તેમની મદદ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2021 02:26 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK