મુંબઈથી પરત ફરી રહેલું વાહન અને એક ટ્રક વચ્ચે ટક્કર થતાં દુર્ઘટના ઘટી હતી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ- અમદાવાદ નેશનલ હાઈવે પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાકા લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
મુંબઈથી પરત ફરી રહેલું વાહન અને એક ટ્રક વચ્ચે ટક્કર થતાં દુર્ઘટના ઘટી હતી. વાહનમાં સવાર પરિવાર પાલઘરથી માતાના દર્શન કરી પરત ફરી રહ્યા હતાં તે દરમિયાન તેમને કાળ નડ્યો હતો. વાહનમાં કુલ 12 લોકો સવાર હતા. જેમાંથી 4 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. બતાવવામાં આવી રહ્યું છે કે જેમાંથી બેની હાલત વધારે ગંભીર છે.
ADVERTISEMENT
મૃતકોની ઓળખાણ હેમંત તાર, સુષ્મા આરેકર, ડ્રાઈવર રાકેશ તમોર, સર્વજના આરેકર તરીકે થઈ છે. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી છે.