Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સ્પેન અનલૉક થતાં જ લોકો બેપરવાહ થઈ ગયા : નિષ્ણાતોએ ચેતવ્યા

સ્પેન અનલૉક થતાં જ લોકો બેપરવાહ થઈ ગયા : નિષ્ણાતોએ ચેતવ્યા

11 May, 2021 01:23 PM IST | Madrid
Agency

સ્પેનના નાગરિકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવી તકેદારીઓને ધ્યાનમાં રાખ્યા વિના છ મહિનાના લૉકડાઉનના અંતની ઉજવણી કરતાં એક અગ્રણી નિષ્ણાતે ચેતવણી ઉચ્ચારી હતી કે કોરોના વાઇરસ મહામારી હજી સુધી નાબૂદ થઈ નથી

યુરોપના સ્પેનમાં લૉકડાઉન પાછું ખેંચાતાં લોકો જૂથમાં બીચ પર જઈને કવાયત કરીને કે રમતો રમીને ‘આઝાદી’ની ઉજવણી કરવા લાગ્યા છે. બાર્સેલોના તથા મૅડ્રિડ સહિત ઘણાં સ્થળે આવો માહોલ હતો. એ.એફ.પી.

યુરોપના સ્પેનમાં લૉકડાઉન પાછું ખેંચાતાં લોકો જૂથમાં બીચ પર જઈને કવાયત કરીને કે રમતો રમીને ‘આઝાદી’ની ઉજવણી કરવા લાગ્યા છે. બાર્સેલોના તથા મૅડ્રિડ સહિત ઘણાં સ્થળે આવો માહોલ હતો. એ.એફ.પી.


સ્પેનના નાગરિકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવી તકેદારીઓને ધ્યાનમાં રાખ્યા વિના છ મહિનાના લૉકડાઉનના અંતની ઉજવણી કરતાં એક અગ્રણી નિષ્ણાતે ચેતવણી ઉચ્ચારી હતી કે કોરોના વાઇરસ મહામારી હજી સુધી નાબૂદ થઈ નથી.

સ્પેનની એપિડેમિઓલૉજિકલ સોસાયટીના પ્રમુખ એલેના વિનેસા માર્ટિનેઝે ચેતવણી આપી હતી કે હજી પણ ઘણા લોકો સંક્રમિત છે, જેઓ વાઇરસનો ચેપ લગાડી શકે છે. તેમણે નોંધ્યું હતું કે ‘આ સ્થિતિમાં મને ઇમર્જન્સીના અંત સાથે મોકલવામાં આવેલા સુરક્ષાના ખોટા સંકેતથી તથા નાઇટ કરફ્યુના અંતથી હું ચિંતિત છું.’



સ્પેનમાં દેશવ્યાપી રાત્રિ કરફ્યુ સહિતનાં મોટા ભાગનાં નિયંત્રણો રવિવારે મધરાતે ઉઠાવી લેવાયાં હતાં. રાત્રિ કરફ્યુ ઘણી જગ્યાએથી ઉઠાવી લેવાયો હોવા છતાં હજી કેટલાંક સ્થળોએ પ્રવર્તે છે.


સ્પેનમાં દોઢ વર્ષમાં કુલ ૩૬ લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે અને ૭૯,૦૦૦ જેટલા લોકોના જાન ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2021 01:23 PM IST | Madrid | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK