Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાએ ૪ મેથી ભારતના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો

અમેરિકાએ ૪ મેથી ભારતના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો

02 May, 2021 08:13 AM IST | Washington
Agency

દેશમાં કોવિડ કેસમાં થઈ રહેલા અસાધારણ વધારા અને કોવિડના મલ્ટિપલ વેરિયન્ટ્સની હાજરીને ધ્યાનમાં રાખતાં અમેરિકાએ ૪ મેથી ભારતમાંથી પ્રવાસ કરનારા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો હોવાનું વાઇટ હાઉસે જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં કોવિડ કેસમાં થઈ રહેલા અસાધારણ વધારા અને કોવિડના મલ્ટિપલ વેરિયન્ટ્સની હાજરીને ધ્યાનમાં રાખતાં અમેરિકાએ ૪ મેથી ભારતમાંથી પ્રવાસ કરનારા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો હોવાનું વાઇટ હાઉસે જણાવ્યું હતું. સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શનની સલાહને પગલે તાત્કાલિક ધોરણે ભારતથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હોવાનું વાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી જેન સાકીએ શુક્રવારે જણાવ્યું હતું.અમેરિકા ઉપરાંત, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, સિંગાપોર અને યુએઈ જેવા દેશોએ પણ કોરોના વાઇરસના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ભારત જવા અને આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ ૨૯ એપ્રિલે તેના નાગરિકોને ભારતના પ્રવાસે ન જવા તેમ જ ભારતમાં હોય તો સુરક્ષિતપણે ભારત છોડી પાછા ફરવાની સલાહ આપી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2021 08:13 AM IST | Washington | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK