Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > શરાબ પીવાથી થઈ શકે છે સાત પ્રકારનાં કૅન્સર

શરાબ પીવાથી થઈ શકે છે સાત પ્રકારનાં કૅન્સર

Published : 07 January, 2025 12:41 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈ પણ પ્રકારનો આલ્કોહોલ હોય, ભલે પ્રમાણસર પીતા હો... : અમેરિકામાં આલ્કોહોલિક પીણાંની બૉટલો પર સિગારેટના પૅકેટની જેમ જ કૅન્સરના જોખમની ચેતવણી આપવાની ઍડ્વાઇઝરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકામાં ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલી એક ઍડ્વાઇઝરીમાં જણાવવામાં આવ્યું હતું કે બિઅર, વાઇન કે સ્પિરિટ્સ એમ તમામ આલ્કોહોલિક પીણાં બનાવનારાઓએ તેમની બૉટલો પર સિગારેટના પૅકેટની જેમ કૅન્સરનાં જોખમોની ચેતવણી છાપવી જોઈએ, શરાબનો માનવસ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે એટલે શરાબ અને કૅન્સર વચ્ચેના સંબંધની લોકોને પૂરતી જાણ કરવાની જરૂર છે.


અમેરિકામાં દર વર્ષે શરાબ પીવાથી એક લાખ લોકો કૅન્સરથી અને ૨૦,૦૦૦ લોકો એના સંબંધિત રોગોથી મૃત્યુ પામે છે.



અમેરિકાના સર્જ્યન જનરલ ડૉ. વિવેક મૂર્તિએ પણ અલર્ટ કરતાં કહ્યું હતું કે શરાબ પીવાથી સાત પ્રકારનાં કૅન્સરનું જોખમ રહેલું છે; જેમાં મોં અને ગળું, પેટ, સ્તન, લિવર, આંતરડાં, રેક્ટમ અને અવાજનળીના કૅન્સરનો સમાવેશ છે; આથી શરાબની બૉટલો પર કૅન્સરનાં જોખમો ધરાવતી વૉર્નિંગ લખવાની જરૂર છે.


અમેરિકામાં તમાકુ અને મેદ​​સ્વિતા બાદ શરાબ કૅન્સર થવાનું ત્રીજું મુખ્ય કારણ છે.

પ્રમાણસરના શરાબનું સેવન સારું છે એવો પ્રચાર થાય છે એ મુદ્દે ડૉ. મૂર્તિએ કહ્યું હતું કે ‘જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં એક ડ્રિન્ક લે છે તો તેની આખી જિંદગીમાં કૅન્સર થવાનું રિસ્ક ૧૦ ટકા રહે છે. આમ શરાબ લેવો શરીર માટે સારો છે એ માત્ર ભ્રામક પ્રચાર છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 January, 2025 12:41 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK