Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > તાલિબાનો આતંકવાદને પ્રોત્સાહન નહીં આપે, પાકિસ્તાનને વિશ્વાસ

તાલિબાનો આતંકવાદને પ્રોત્સાહન નહીં આપે, પાકિસ્તાનને વિશ્વાસ

22 September, 2021 11:19 AM IST | Kabul
Agency

સમગ્ર વિશ્વમાં એવો ડર છે કે અફઘાનિસ્તાન ઇસ્લામિક ત્રાસવાદીઓનું આશ્રય સ્થાન બનશે તેમ જ ત્યાંથી વિદેશોમાં હુમલાઓ કરવામાં આવશે. જોકે તાલિબાનો આ મામલે વારંવાર લોકોને ખાતરી આપી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાકિસ્તાનના લશ્કરના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્ત‌િખારે ગઈ કાલે કહ્યું હતું કે તેઓ દેશની સુરક્ષાને ધ્યાનમાં લેતાં અફઘાનિસ્તાનના તાલિબાનો સાથે સતત સંપર્કમાં છે. ૧૫ ઑગસ્ટથી અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક ત્રાસવાદીઓએ કબજો જમાવ્યો છે. ત્યારથી સમગ્ર વિશ્વમાં એવો ડર છે કે અફઘાનિસ્તાન ઇસ્લામિક ત્રાસવાદીઓનું આશ્રય સ્થાન બનશે તેમ જ ત્યાંથી વિદેશોમાં હુમલાઓ કરવામાં આવશે. જોકે તાલિબાનો આ મામલે વારંવાર લોકોને ખાતરી આપી રહ્યા છે.
પ્રવક્તાએ કહ્યું હતું કે તાલિબાનોના ઇરાદાઓ પર શંકા કરવાનું કોઈ કારણ નથી. પાકિસ્તાનના નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર મોઇજ યુસુફે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તાલિબાનની સરકારને મંજૂરી ન આપવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતુ કે તાલિબાન સરકાર પર પ્રભાવ પાડવા માટે પણ એમની સાથે વાતચીત 
જરૂરી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2021 11:19 AM IST | Kabul | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK