તાઇવાને આવતા ૧૪ દિવસ સુધી ભારતથી આવતી કોઈ પણ વિદેશી વ્યક્તિને પોતાને ત્યાં પ્રવેશવા ન દેવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ આજથી અમલમાં મુકાયો છે.
પ્રતીકાત્મક તસવીર
તાઇવાને આવતા ૧૪ દિવસ સુધી ભારતથી આવતી કોઈ પણ વિદેશી વ્યક્તિને પોતાને ત્યાં પ્રવેશવા ન દેવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ આજથી અમલમાં મુકાયો છે.
જોકે ભારતથી આવતા તાઇવાનના નાગરિકોને દેશમાં પ્રવેશ અપાશે. તેમણે તાઇપેઇ પહોંચ્યા પછી ૧૪ દિવસ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે. હાલમાં બન્ને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ છે જ નહીં એટલે એને ત્યાં ભારતથી ભાગ્યે જ કોઈ વ્યક્તિ અન્ય દેશોમાંથી આવેલી ફ્લાઇટમાં પહોંચતું હશે. જોકે એમાંના વિદેશીઓને નહીં આવવા દેવાય.