Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ફાઇઝર કે એસ્ટ્રાના એક ડોઝથી કોરોના વાઇરસનો ફેલાવો 50 ટકા જેટલો ઘટી શકે

ફાઇઝર કે એસ્ટ્રાના એક ડોઝથી કોરોના વાઇરસનો ફેલાવો 50 ટકા જેટલો ઘટી શકે

29 April, 2021 01:59 PM IST | London
Agency

વિજ્ઞાનીઓ તથા ડૉક્ટરો સહિતના સંશોધકોને એક અભ્યાસ પરથી એવું જણાયું છે કે ફાઇઝર કે ઍસ્ટ્રાઝેનેકાનો કોવિડ-વિરોધી સિંગલ ડોઝ જો વ્યાપક પ્રમાણમાં લેવામાં આવે તો કોરોના વાઇરસનો ફેલાવો ૫૦ ટકા સુધી ઘટી શકે.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


વિજ્ઞાનીઓ તથા ડૉક્ટરો સહિતના સંશોધકોને એક અભ્યાસ પરથી એવું જણાયું છે કે ફાઇઝર કે ઍસ્ટ્રાઝેનેકાનો કોવિડ-વિરોધી સિંગલ ડોઝ જો વ્યાપક પ્રમાણમાં લેવામાં આવે તો કોરોના વાઇરસનો ફેલાવો ૫૦ ટકા સુધી ઘટી શકે.

આ અભ્યાસ બ્રિટનના પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડ (પી.એચ.ઈ.) નામના વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. જેમણે ફાઇઝર કે ઍસ્ટ્રાઝેનેકાની વૅક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય અને ત્રણ અઠવાડિયાં બાદ સંક્રમિત થયા હોય તો તેમનો ચેપ રસીનો એકેય ડોઝ ન લીધો હોય એવી વ્યક્તિઓને લાગવાની ૩૮થી ૪૯ ટકા જેટલી ઓછી સંભાવના હોય છે.



અભ્યાસમાં નિષ્ણાતોને એવું પણ જણાયું હતું કે આ બે કંપનીની રસી લીધા બાદ માત્ર ૧૪ દિવસ પછી કોવિડ સામેની પ્રતિકારક શક્તિ શરીરમાં ડેવલપ થઈ હોવાનું નોંધાયું છે. કોઈ પણ વયની વ્યક્તિ કે જેણે આ રસીનો પ્રથમ ડોઝ લીધો હોય તે સિમ્પ્ટમૅટિક પ્રકારના ચેપનો શિકાર બને એવું જોખમ પણ ઓછું હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2021 01:59 PM IST | London | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK