જાપાનમાં વાવાઝોડાને કારણે બે જણનાં મોત થયાં હતાં.
તસવીર: PTI
જપાનમાં મિયાઝાકી રીજનના મોરુત્સુકુમાં વાવાઝોડા અને ભારે વરસાદના પગલે ધ્વસ્ત રોડ. આ દેશમાં વાવાઝોડાને કારણે બે જણનાં મોત થયાં હતાં, જ્યારે ૧૧૫ જણને ઈજા થઈ છે. નાનમદોલ વાવાઝોડાને કારણે ૧.૩ લાખ ઘરોમાં વીજપુરવઠો ખોરવાયો છે. એટલું જ નહીં, આ દેશના સ્પેસ સેન્ટરને પણ નુકસાન પહોંચ્યું છે. હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.