Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > જપાનમાં શક્તિશાળી વાવાઝોડાને કારણે હજારો લોકોનાં સ્થળાંતર

જપાનમાં શક્તિશાળી વાવાઝોડાને કારણે હજારો લોકોનાં સ્થળાંતર

19 September, 2022 08:20 AM IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જપાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે જપાનના દક્ષિણમાં કગોશિમા શહેરમાં પહોંચ્યા બાદ વાવાઝોડું નાનમદોલ ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું

જપાનના કગોશિમા શહેરમાં ગઈ કાલે વાવાઝોડા નાનમદોલ ત્રાટકવાને કારણે પડી ગયેલી સાઇકલો

જપાનના કગોશિમા શહેરમાં ગઈ કાલે વાવાઝોડા નાનમદોલ ત્રાટકવાને કારણે પડી ગયેલી સાઇકલો


શક્તિશાળી વાવાઝોડું જપાનના દ​ક્ષિણના કાંઠે ગઈ કાલે પહોંચતાની સાથે જ આ વિસ્તારમાં પવનની સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેને લીધે અંધારપટ સર્જાયો હતો અને મુશ્કેલ સ્થિતિ વચ્ચે હજારો લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.  

જપાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે જપાનના દક્ષિણમાં કગોશિમા શહેરમાં પહોંચ્યા બાદ વાવાઝોડું નાનમદોલ ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું. પવનની મૅક્સિમમ સ્પીડ ૧૬૨ કિલોમીટર પ્રતિ કલાક છે અને એ મંગળવારે ટોક્યો પહોંચશે એવી આગાહી છે.  



હવામાન વિભાગે આજે સાંજ સુધીમાં ૨૦ ઇંચ વરસાદની આગાહી કરી છે. જેના લીધે પૂર અને ભેખડો ધસી પડવાનું જોખમ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને અભૂતપૂર્વ સ્તરે ભારે પવન અને મોજાંની ચેતવણી આપવામાં આવી છે.


કગોશિમામાં ૧૨,૦૦૦થી વધારે લોકોનાં સ્થળાંતર થયાં છે, જ્યારે એની બાજુમાં મિયાઝાકીમાં લગભગ આઠ હજાર લોકોએ ઘર છોડવું પડ્યું હતું. સમગ્ર ક્યુશુ પ્રદેશમાં વીજકાપ છે, કેમ કે આ વાવાઝોડાને કારણે પાવર લાઇન્સ અને સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2022 08:20 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK