Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતની વિકાસયાત્રામાં જપાનની મહત્ત્વની ભૂમિકા રહી છે : મોદી

ભારતની વિકાસયાત્રામાં જપાનની મહત્ત્વની ભૂમિકા રહી છે : મોદી

24 May, 2022 12:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન, મુંબઈ-દિલ્હી કૉરિડોર અને ફ્રેઇટ કૉરિડોર જેવા પ્રોજેક્ટ્‍સનાં નામ આપ્યાં: જપાનમાં વસતા ભારતીયોએ કર્યું વડા પ્રધાનનું ભવ્ય સ્વાગત

સુઝુકી મોટર કૉર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે વડા પ્રધાન મોદી.

સુઝુકી મોટર કૉર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે વડા પ્રધાન મોદી.



ટોક્યો ( એ.એન.આઇ.) : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત અને જપાન સારા ભાગીદાર છે. તેમ જ જપાને ભારતના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ટોક્યોમાં ભારતીયોને સંબોધતાં મોદીએ બુદ્ધિઝમને લઈને ભારત અને જપાનના સંબંધોને યાદ કર્યા હતા. તેમ જ વિશ્વએ શાંતિ માટે ભગવાન બુદ્ધના માર્ગે ચાલવું જોઈએ. વડા પ્રધાને ભારતના વૅક્સિન મૈત્રીના કાર્યક્રમ વિશે વાત કરતાં કઈ રીતે વિવિધ દેશોને કોવિડ વૅક્સિન પૂરી પાડી હતી એ સંદર્ભે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશ બહુ જ નસીબદાર છે કે અમને ગૌતમ બુદ્ધના આશીર્વાદ મળ્યા છે. ગમે તેવો વિકરાળ પડકાર હોય પરંતુ ભારત એનો ઉકેલ શોધી કાઢે છે. 
ભારત અને જપાન વચ્ચેના મહત્ત્વના સહકારનાં ઉદાહરણ ટાંકતાં મોદીએ કહ્યું હતું કે મુંબઈ- અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, દિલ્હી-મુંબઈ ઇ​ન્ડસ્ટ્રિયલ કૉરિડોર અથવા તો ફ્રેઇટ કૉરિડોર જેવા પ્રોજેક્ટની વાત કરી હતી.’ 
મોદી ટોક્યોમાં ૩૪ જેટલી જપાનની કંપનીની સીઈઓને મળ્યા હતા તેમ જ એમને મેક ઇન ઇન્ડિયા ફૉર ધ વર્લ્ડ અભિયાન અંતર્ગત ભારતમાં રોકાણ કરવા માટે જણાવ્યુ હતું. 

વિશ્વનું ૪૦ ટકા​ ડિજિટલ ટ્રાન્ઝૅક્શન ભારતમાં



ટોક્યોમાં આયોજિત ક્વાૅડ સમિટ દરમ્યાન ભારતીય નાગરિકોને સાથે વડા પ્રધાન મોદી.


જપાનમાં રહેતા ભારતીયોએ વડા પ્રધાન મોદીનું ભારે સ્વાગત કર્યું હતું. એમને સંબોધતાં એક કાર્યક્રમમાં મોદીએ કહ્યું હતું કે કોરોના જેવા મુશ્કેલ સમયમાં પણ ભારતની બૅકિંગ સિસ્ટમ ચાલતી રહી હતી. દેશમાં ડિજિટલ ક્રાન્તિ આવી છે. તમને જાણીને આનંદ થશે છે વિશ્વનું ૪૦ ટકા ડિજિટલ ટ્રાન્ઝૅક્શન માત્ર ભારતમાં થાય છે. સ્વામી વિવેકાનંદે જપાનથી પ્રભાવિત થઈને કહ્યું હતું કે દરેક ભારતીય યુવકે જીવનમાં એક વખત જપાનનો પ્રવાસ જરૂર કરવો જોઈએ. હું સ્વામીજીના આ સિદ્ધાંતને આગળ વધારતાં કહું છું કે જપાનના દરેક યુવકે જીવનમાં એક વખત ભારતનો પ્રવાસ જરૂર કરવો જોઈએ. 


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2022 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK