સરબજિતને તત્કાળ ફાંસી આપવાની ડિમાન્ડ
પાર્ટીના નેતા નસીમુલ્લાહ ખાને કસબની ફાંસીનો બદલો લેવા માટે માત્ર સરબજિત જ નહીં ફાંસીની સજા પ્રાપ્ત અન્ય તમામ ભારતીયોને સજાનો અમલ કરવાની માગણી કરી હતી. સરબજિતની ફાંસીના આડે પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી ઝરદારી સૌથી મોટો અવરોધ હોવાનું જણાવતાં ખાને કહ્યું હતું કે ‘ભારતે કસબને ફાંસી આપી દીધી છે અને પાકિસ્તાનની સરકાર અનેક વર્ષોથી ભારતીય આતંકવાદીને સાચવી રહી છે.’