Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નૉર્વેમાં ધનુષ-બાણથી કરાયો આતંકી હુમલો, પાંચનાં મોત

નૉર્વેમાં ધનુષ-બાણથી કરાયો આતંકી હુમલો, પાંચનાં મોત

15 October, 2021 09:29 AM IST | Copenhagen
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ હુમલાખોરે મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે, જેને અગાઉ કટ્ટરપંથી જાહેર કરાયો હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું

ધનુષ-બાણથી કરાયો આતંકી હુમલો

ધનુષ-બાણથી કરાયો આતંકી હુમલો


નૉર્વેમાં કસ્ટડીમાં રહેલા એક ડેનિશ વ્યક્તિએ નાના શહેરમાં લોકો પર ધનુષ અને બાણથી હુમલો કર્યાની શંકા છે. આ હુમલામાં પાંચ વ્યક્તિનું મૃત્યુ થયું હતું તથા અન્ય બે વ્યક્તિને જખમી થયા હતાં. આ હુમલાખોરે મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે, જેને અગાઉ કટ્ટરપંથી જાહેર કરાયો હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. પોલીસે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.

આ વ્યક્તિએ બુધવારે સાંજે કોંગ્સબર્ગ શહેરમાં અનેક સ્થળોએ ધનુષ-બાણ દ્વારા માણસોને માર્યા હતા. મરનાર વ્યક્તિઓમાં અનેક વ્યક્તિઓ સુપરમાર્કેટમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. મરનારમાં ચાર મહિલાઓ અને પુરુષનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વ્યક્તિએ પોલીસ ઘટનાસ્થળે ન પહોંચી ત્યાં સુધી તેમને મારવાની શરૂઆત કરી નહોતી. આ પરથી જાણી શકાય કે પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તેણે ઘણાને મારી નાખ્યા હતા. નાનકડા શહેરને આઘાત પહોંચાડનારો આ હત્યાકાંડ અસંખ્ય લોકોની ઉપસ્થિતિમાં થયો હતો. પોલીસે ૨૦થી ૩૦ સાક્ષીઓ સાથે વાત કરી છે જેમણે હુમલાખોરને જોયો છે તેમ જ તેને નિર્દોષોને મોતને ઘાટ ઉતારતા પણ જોયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2021 09:29 AM IST | Copenhagen | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK