Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > તાઈવાનમાં 13 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, 46 લોકોના મોત

તાઈવાનમાં 13 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, 46 લોકોના મોત

14 October, 2021 05:14 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દક્ષિણી તાઈવાનમાં 13 માળની એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 46 લોકોના મોત થયા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દક્ષિણી તાઈવાનમાં 13 માળની એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 46 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાય લોકો દાઝી ગયા છે. 

કાઉશુંગ શહેરના ફાયર વિભાગના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગ આશરે સાડા ત્રણ વાગ્યે લાગી હતી. આગ ખુબ જ વિકારાળ હતી, જો કે આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી.  આ ઘટનામાં ઘાયલ થયેલા 55 લોકોનો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જેમાંથી 14 લોકોએ ત્યાં જ દમ તોડ્યો હતો. 



ફાયર વિભાગના અધિકારીઓ વધુમાં જણાવ્યું હતું કે 11 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં.  ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ છે. 


ફાયર વિભાગના નિવેદન અનુસાર, આગ અત્યંત તીવ્ર હતી અને આગમાં બિલ્ડિંગના અનેક માળ બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રત્યક્ષદર્શીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેઓએ સવારે 3 વાગ્યાની આસપાસ વિસ્ફોટ સાંભળ્યો હતો.

 


 

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2021 05:14 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK