સુકર્ણો હેરિટેજ એરિયામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડોનેશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની પુત્રી સુકમાવતીએ ઇસ્લામ ધર્મ છોડી દઈને હિન્દુ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય કર્યો છે. ૨૬ ઑક્ટોબરે યોજાયેલી એક મહાપૂજામાં તેણે હિન્દુ ધર્મ અપનાવી લીધો હતો એમ સીએનએન ઇન્ડોનેશિયા પર પ્રસારિત થયેલા એક અહેવાલમાં આ મુજબની માહિતી આપવામાં આવી હતી. સુકર્ણો હેરિટેજ એરિયામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર વિશ્વમાં ઇન્ડોનેશિયામાં ઇસ્લામનું પાલન કરનારા સૌથી વધુ લોકો છે, એટલું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોમાં પણ ઇન્ડોનેશિયા પ્રથમ ક્રમે આવે છે. સુકમાવતીના પિતા સુકર્ણો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હતા ત્યારે ભારત સાથેના ઇન્ડોનેશિયાના સંબંધો ખૂબ સારા હતા.