Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં હિન્દુ પત્રકાર અજય લાલવાનીની હત્યા

પાકિસ્તાનમાં હિન્દુ પત્રકાર અજય લાલવાનીની હત્યા

22 March, 2021 11:42 AM IST | Karachi
Agency

અજય લાલવાની એક સ્થાનિક ન્યુઝ ચૅનલ અને ઉર્દૂ ભાષાના સમાચાર પત્ર ‘ડેઈલી પુચાનો’ના રિપોર્ટર હતા.

પાકિસ્તાનમાં હિન્દુ પત્રકાર અજય લાલવાનીની હત્યા

પાકિસ્તાનમાં હિન્દુ પત્રકાર અજય લાલવાનીની હત્યા


પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુ પત્રકાર અજય લાલવાનીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અજય લાલવાની વાળ કપાવી રહ્યો હતો તે સમયે બે બાઈક અને એક ગાડીમાં આવેલા હુમલાખોરોએ આડેધડ ગોળીઓ ચલાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
અજય લાલવાની એક સ્થાનિક ન્યુઝ ચૅનલ અને ઉર્દૂ ભાષાના સમાચાર પત્ર ‘ડેઈલી પુચાનો’ના રિપોર્ટર હતા. તેમના પર ગોળીબાર થયા બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ પેટમાં, શરીરના ડાબા-જમણા ભાગમાં અને ઘૂંટણમાં ગોળી વાગવાના કારણે તેમનું મોત થયું હતું.
અજયના પિતાએ અંગત દુશ્મનાવટના કારણે હત્યા થઈ હોવાના સમાચારને રદિયો આપ્યો હતો. આ તરફ પોલીસે ૩ અજ્ઞાત ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ નોંધીને કેસની તપાસ શરૂ કરી છે અને તે વિસ્તારમાં ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2021 11:42 AM IST | Karachi | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK