Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સુદાનમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર : ૭નાં મૃત્યુ

સુદાનમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર : ૭નાં મૃત્યુ

27 October, 2021 09:50 AM IST | Khartum
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુદાનમાં કામચલાઉ ઘડેલી વચગાળાની સરકાર પાસેથી સૈન્યએ સત્તા છીનવી લીધા બાદ દેશની રાજધાનીમાં હજારો લોકો વિરોધમાં ઊમટી પડ્યા હતા

સુદાનમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર

સુદાનમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર


સુદાનમાં ચાલી રહેલા આંતરવિગ્રહમાં ૭ વ્યક્તિનો ભોગ લેવાયો છે. લશ્કર સામેના વિરોધ-પ્રદર્શનમાં હજારો લોકો જોડાઈને સડકો પર ઊતરી આવ્યા હતા, જેમના પર ગોળીબાર કરાતાં ઓછામાં ઓછા ૭ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૧૪૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. સુદાનમાં કામચલાઉ ઘડેલી વચગાળાની સરકાર પાસેથી સૈન્યએ સત્તા છીનવી લીધા બાદ દેશની રાજધાનીમાં હજારો લોકો વિરોધમાં ઊમટી પડ્યા હતા. નાગરિકોના જૂથે સૈન્ય પાસે માગણી કરી હતી કે સત્તા ફરી બિનલશ્કરી નાગરિકી સંગઠનના હાથમાં સોંપવામાં આવે. સૈન્યએ વચગાળાની સરકારના વડા પ્રધાન સહિત પદાધિકારીઓ અને ઉચ્ચાધિકારીઓની ધરપકડ કરી લીધી છે. બે વરસ પહેલાંના સત્તાપરિવર્તન પછી નાગરિકી અને લશ્કરી સંગઠને મળીને વચગાળાની સરકાર રચી હતી. જોકે હવે તેને પણ લશ્કરે ઉથલાવી પાડી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સુદાનમાં થયેલી હિંસાની આકરી ટીકા થઈ રહી છે અને ધરપકડ કરાયેલા નેતાઓને મુક્ત કરવાની માગણી કરવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2021 09:50 AM IST | Khartum | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK