શુક્રવારે બંગલા દેશમાં કોરોના ઇન્ફેક્શનના ૬૮૩૦ નવા કેસ
પ્રતીકાત્મક તસવીર
બંગલા દેશમાં કોરોના ઇન્ફેક્શનના દરદીઓ અને રોગચાળાનો મરણાંક વધતાં સરકાર તરફથી સોમવારથી સાત દિવસ લૉકડાઉનની જાહેરાત માર્ગ વાહનવ્યવહાર ખાતાના પ્રધાન અને સત્તાધારી પક્ષ અવામી લીગના સચિવ ઓબૈદુલ કાદરે કરી હતી.
શુક્રવારે બંગલા દેશમાં કોરોના ઇન્ફેક્શનના ૬૮૩૦ નવા કેસ નોંધાતાં અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા ૬,૨૪,૫૯૪ ઉપર પહોંચી હતી. એ ઇન્ફેક્શનને કારણે ૫૦ વધુ મૃત્યુ થતાં રોગચાળાનો મરણાંક ૯૧૫૫ ઉપર પહોંચ્યો હતો.
ADVERTISEMENT
લૉકડાઉનનાં નિયંત્રણોમાંથી આવશ્યક અને ઇમર્જન્સી સેવાઓને બાકાત રાખવામાં આવી છે. કારખાનાં પણ ચાલુ રાખવામાં આવશે અને કર્મચારીઓેએ ‘કોરોના પ્રોટોકોલ’ અનુસાર આરોગ્ય અને સ્વચ્છતાના નિયમો પાળવાના રહેશે.