Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ધનતેરસના દિવસે રામ-દહન!

ધનતેરસના દિવસે રામ-દહન!

12 November, 2012 03:40 AM IST |

ધનતેરસના દિવસે રામ-દહન!

 ધનતેરસના દિવસે રામ-દહન!


રામ જેઠમલાણીના વિધાનના વિરોધમાં ગઈ કાલે ગુજરાતમાં કેશુભાઈ પટેલની જીપીપીએ દરેક તાલુકામાં એટલે કે ગુજરાતના ૨૨૫ તાલુકામાં રામ જેઠમલાનીનું પૂતળાંદહન કર્યું હતું તો ગઈ કાલે જ જૂનાગઢના સાધુ સમાજે પણ રામ જેઠમલાનીની તુલના રાવણ સાથે કરીને જેઠમલાણીનું પૂતળુ સળગાવ્યું હતું. જીપીપીના પ્રેસિડન્ટ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈએ કહ્યું હતું કે ‘જેઠમલાણીના બાપુજી રામમાં શ્રદ્ધા ધરાવતા હશે એટલે જે તેનું નામ રામ પાડ્યું હશે. રામ જેઠમલાણીએ રામ ભગવાન ઉપરાંત તેના બાપુજીની શ્રદ્ધાનું પણ અપમાન કર્યું છે. જો રામ સારા પતિ ન હોય તો જેઠમલાની આજે ઊઘડતી ર્કોટમાં જઈને પોતાનું નામ બદલીને રાવણ કરી નાખે, નામ બદલવાનો જે ખર્ચ થશે એ ગુજરાત પરિવર્તન પાર્ટી ઉપાડશે.’

જૂનાગઢમાં આવેલા ભારતીય સાધુ સમાજે રામ જેઠમલાણી માફી માગે એવી ડિમાન્ડ કરતાં કહ્યું છે કે જો તે પોતાના શબ્દો પાછા નહીં ખેંચે તો દેવદિવાળીના દિવસે સાધુ સમાજ મોરચો લઈને જેઠમલાણીના ઘરે જઈને ધરણાં કરશે.



Whatsapp-channel Whatsapp-channel

12 November, 2012 03:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK