Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કેવડિયામા સી-પ્લેનનું આગમન: 31 ઑક્ટોબરે વડા પ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન

કેવડિયામા સી-પ્લેનનું આગમન: 31 ઑક્ટોબરે વડા પ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન

27 October, 2020 11:23 AM IST | Narmada
Agency

કેવડિયામા સી-પ્લેનનું આગમન: 31 ઑક્ટોબરે વડા પ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન

કેવડિયામાં સી-પ્લેનનું આગમન

કેવડિયામાં સી-પ્લેનનું આગમન


ગુજરાતમાં ૩૧ ઑક્ટોબરથી બે સ્થળેથી સી-પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી-પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સી-પ્લેન અમદાવાદ આવી પહોંચ્યું હતું. રવિવારે મૉલ્દીવ્ઝથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઊતર્યું હતું. સી-પ્લેન કોચીથી ગોવા થઈ અમદાવાદ આવશે. અહીં આવ્યા પછી સી-પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. ૩૧મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી-પ્લેનમાં બેસી અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ આવશે. કેવડિયા બાદ હવે અમદાવાદમાં પણ સી-પ્લેનનું લૅન્ડિંગ થયું છે. આ સી-પ્લેનમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના એમડી ડૉ. રાજીવ ગુપ્તા કેવડિયાથી અમદાવાદ આવ્યા છે. કોચીથી ગોવા ટ્રાન્ઝિટ પૂર્ણ કર્યા બાદ હાલ સી-પ્લેન ગુજરાતના કેવડિયા તળાવ નંબર ૩ ખાતે આવી પહોંચ્યું છે.

અમદાવાદથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી વચ્ચે શરૂ થનારી સી-પ્લેન સર્વિસનું ભાડું ૪૮૦૦ નક્કી કર્યું છે. આ ઉપરાંત રોજ ચાર જેટલી ઉડાન ભરી શકાશે અને સી-પ્લેનમાં બે પાઇલટ, બે ઑન-બોર્ડ ક્રૂ-મેમ્બર્સ હશે.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2020 11:23 AM IST | Narmada | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK