આપના સુપ્રીમો સોમનાથ મંદિરમાં પ્રાર્થના પણ કરશે
ફાઇલ તસવીર
દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ)ના સુપ્રીમો અરવિંદ કેજરિવાલ ૨૬ જુલાઈએ સોમનાથ મંદિરનાં દર્શન કરશે અને સાથે જ ગુજરાતના રાજકોટ શહેરમાં વેપારીઓની સાથે ટાઉનહૉલમાં મીટિંગ પણ કરશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે કેજરીવાલની એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં આ બીજી અને આ મહિનામાં ત્રીજી મુલાકાત છે.
ADVERTISEMENT
‘આપ’ના આ નેતા આજથી બે દિવસ માટે ગુજરાતમાં આવશે. તેઓ સોમવારે સાંજે રાજકોટ ઍરપોર્ટ પર આવશે. એ પછી તેઓ ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ માટે રવાના થશે. જ્યાં તેઓ રાત્રે રોકાશે. તેઓ બીજા દિવસે સવારે સોમનાથ મંદિરમાં પ્રાર્થના કરશે અને રાજકોટમાં આવશે, જ્યાં બપોરે વેપારીઓની સાથે મીટિંગ કરશે.
નોંધપાત્ર છે કે, ૨૧ જુલાઈએ સુરતની મુલાકાત દરમ્યાન કેજરીવાલે વચન આપ્યું હતું કે, જો વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી સત્તા પર આવશે તો તેઓ દર મહિને ૩૦૦ યુનિટ ફ્રી ઇલેક્ટ્રિસિટી આપશે.