Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મોદી સરકારના ચાર પ્રધાન હાર્યા

મોદી સરકારના ચાર પ્રધાન હાર્યા

21 December, 2012 05:36 AM IST |

મોદી સરકારના ચાર પ્રધાન હાર્યા

મોદી સરકારના ચાર પ્રધાન હાર્યા



બીજેપીએ ભલે જીતની હૅટ-ટ્રિક કરી હોય, પણ મોદી સરકારના ચાર પ્રધાનો તેમની બેઠક જાળવી શક્યા નહોતા. કૃષિપ્રધાન દિલીપ સંઘાણી, આરોગ્યપ્રધાન અને સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસ, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રફુલ પટેલ તથા ફકીર વાઘેલા તેમની બેઠક પરથી હાર્યા હતા. ફકીર વાઘેલા વડગામ બેઠક પરથી અને પ્રફુલ પટેલ હિંમતનગર બેઠક પરથી હારી ગયા હતા.



કૃષિપ્રધાન દિલીપ સંઘાણી અમરેલી બેઠક પરથી હાર્યા હતા. તેમની સામે કૉન્ગ્રેસના પરેશ ધાનાણીની જીત થઈ છે. જયનારાયણ વ્યાસને સિદ્ધપુર બેઠક પર કૉન્ગ્રેસના બળવંતસિંહ રાજપૂતે હાર આપી હતી. બીજેપી સરકારના સમાજકલ્યાણ પ્રધાન ફકીર વાઘેલાને વડગામ બેઠક પર કૉન્ગ્રેસના મણિભાઈ વાઘેલાએ હાર આપી હતી. આ ઉપરાંત બીજેપીના પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુ પણ જામનગર (રૂરલ) બેઠક પરથી હારી ગયા હતા.




Whatsapp-channel Whatsapp-channel

21 December, 2012 05:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK