Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રથયાત્રા પર થઈ શકે છે અમી છાંટણાં

રથયાત્રા પર થઈ શકે છે અમી છાંટણાં

29 June, 2022 10:23 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, ખેડા, વડોદરા, દાહોદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આજથી ચાર દિવસ દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


અમદાવાદ : ગુજરાતમાં અમદાવાદ સહિત વિવિધ નાનાં-મોટાં શહેરોમાંથી ૧ જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે નીકળશે ત્યારે આ રથયાત્રા પર અમી છાંટણાં થઈ શકે છે અને ખુદ મેઘરાજા પણ રથયાત્રામાં હાજરી પુરાવી શકે છે, કેમ કે હવામાન વિભાગે અગામી ચાર દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી છે. 
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ૩૦ જૂન તેમ જ ૧ અને ૨ જુલાઈના રોજ તેમ જ ડાંગમાં બીજી જુલાઈના રોજ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ, ખેડા, વડોદરા, દાહોદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આજથી ચાર દિવસ દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગઈ કાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૯ તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં વાપી તાલુકામાં ૫૭ મિલીમીટર એટલે કે બે ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે પારડી, ઉમરપાડા, ગારિયાધાર તાલુકામાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2022 10:23 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK