Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ સ્ટેશને બહારથી આવતા પ્રવાસીઓનું સઘન ચેકિંગ

અમદાવાદ સ્ટેશને બહારથી આવતા પ્રવાસીઓનું સઘન ચેકિંગ

02 April, 2021 05:12 PM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતના આરોગ્ય વિભાગે કોરોના-સંક્રમણ અટકાવવા તાજેતરમાં એવો નિર્ણય કર્યો હતો

અમદાવાદ રેલવે-સ્ટેશને ગઈ કાલે આરટીપીસીઆર ચેકિંગ હાથ ધરાયું હતું અને કેટલાક પ્રવાસીઓની કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી

અમદાવાદ રેલવે-સ્ટેશને ગઈ કાલે આરટીપીસીઆર ચેકિંગ હાથ ધરાયું હતું અને કેટલાક પ્રવાસીઓની કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી


આરટી-પીસીઆરની નેગેટિવ ટેસ્ટ વિના ગુજરાતમાં અન્ય રાજ્યના મુસાફરોને પ્રવેશ નહીં મળે એવા ગુજરાત સરકારે કરેલા નિર્ણયનો ગઈ કાલથી અમદાવાદ સહિત ગુજરાતમાં અમલ શરૂ થયો છે. અમદાવાદ રેલવે-સ્ટેશને ગઈ કાલે બહારથી આવતા મુસાફરોનુ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું અને ૨૫ શંકાસ્પદ મુસાફરોની રેલવે-સ્ટેશન પર જ કોરોના-ટેસ્ટ કરીને તમામ મુસાફરોને ક્વૉરન્ટીન કરાયા હતા.

ગુજરાતના આરોગ્ય વિભાગે કોરોના-સંક્રમણ અટકાવવા તાજેતરમાં એવો નિર્ણય કર્યો હતો કે દેશનાં અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લા ૭૨ કલાકમાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી હોય અને એનો રિપોર્ટ નેગેટિવ હોય એવી વ્યક્તિને જ ગુજરાતમાં પ્રવેશ મળશે. આ નિર્ણયનો અમલ ગઈ કાલથી ગુજરાતમાં શરૂ થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2021 05:12 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK