Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાના સતત વધતા કેસને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લંબાવાઇ- ગુજરાત સરકાર

કોરોનાના સતત વધતા કેસને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લંબાવાઇ- ગુજરાત સરકાર

15 April, 2021 03:49 PM IST | Gujarat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લંબાવવાનો નિર્ણય લીધો છે.

વિજય રૂપાણી (ફાઇલ ફોટો)

વિજય રૂપાણી (ફાઇલ ફોટો)


કોરોનાના સતત વધતા કેસને કારણે દેશભરમાં સ્થિતિ ખૂબ જ ભયંકર બની રહી છે. તેવામાં જો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય હોય તો તે મહારાષ્ટ્ર અને ગુજરાત છે. ગુજરાતમાં કોરોનાને કારણે સ્થિતિ ખૂબ જ કપરી થઈ રહી છે. એવામાં ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લંબાવવાનો નિર્ણય લીધો છે.

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાની માહિતી ગુજરાત સીએમઓના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આપવામાં આવી છે. આ ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, "ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ની બૉર્ડની પરીક્ષા લંબાવવાનો નિર્ણય લીધો છે 10મી મેથી 25 દરમિયાન હોઇ શકે છે. અને ધોરણ 1થી 9 તેમજ 11મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. પરીક્ષા માટેની નવી તારીખો કોરોનાવાયરસની સ્થિતિનું નીરિક્ષણ કર્યા બાદ જાહેર કરવામાં આવશે."




જણાવવાનું કે છેલ્લા 48 કલાકમાં 7410 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 2642 લોકો ડિસ્ચાર્જ થયા અને 73 લોકોના નિધન થયા છે. પરંતુ આ દરમિયાન મૃતદેહોના અંતિમ સંસ્કારને લઈને અનેક શહેરોમાં સ્થિતિ કથડી રહી છે. સ્મશાનને લઈને વેટિંગ થઈ રહ્યું છે તો કેટલાક સ્થળોએ એડવાન્સમાં કબર ખોદવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2021 03:49 PM IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK