ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લંબાવવાનો નિર્ણય લીધો છે.
વિજય રૂપાણી (ફાઇલ ફોટો)
કોરોનાના સતત વધતા કેસને કારણે દેશભરમાં સ્થિતિ ખૂબ જ ભયંકર બની રહી છે. તેવામાં જો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય હોય તો તે મહારાષ્ટ્ર અને ગુજરાત છે. ગુજરાતમાં કોરોનાને કારણે સ્થિતિ ખૂબ જ કપરી થઈ રહી છે. એવામાં ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લંબાવવાનો નિર્ણય લીધો છે.
કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાની માહિતી ગુજરાત સીએમઓના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આપવામાં આવી છે. આ ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, "ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ની બૉર્ડની પરીક્ષા લંબાવવાનો નિર્ણય લીધો છે 10મી મેથી 25 દરમિયાન હોઇ શકે છે. અને ધોરણ 1થી 9 તેમજ 11મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. પરીક્ષા માટેની નવી તારીખો કોરોનાવાયરસની સ્થિતિનું નીરિક્ષણ કર્યા બાદ જાહેર કરવામાં આવશે."
ADVERTISEMENT
In the wake of COVID-19 pandemic, Gujarat Govt decides to postpone Class 10 & 12 board examinations, scheduled to be held between May 10 to 25, and mass promotion for students of std 1 to 9 & 11. The new dates will be announced after reviewing the coronavirus situation on May 15.
— CMO Gujarat (@CMOGuj) April 15, 2021
જણાવવાનું કે છેલ્લા 48 કલાકમાં 7410 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 2642 લોકો ડિસ્ચાર્જ થયા અને 73 લોકોના નિધન થયા છે. પરંતુ આ દરમિયાન મૃતદેહોના અંતિમ સંસ્કારને લઈને અનેક શહેરોમાં સ્થિતિ કથડી રહી છે. સ્મશાનને લઈને વેટિંગ થઈ રહ્યું છે તો કેટલાક સ્થળોએ એડવાન્સમાં કબર ખોદવામાં આવી રહી છે.