વાઇરલ વિડિયોમાં ટ્રાન્સપોર્ટ, સિવિલ એવિએશન ઍન્ડ ટૂરિઝમ પ્રધાન માંડવામાં બેસીને પોતાની પીઠ પર સાંકળ મારી રહ્યા છે ત્યારે લોકો પૈસા પણ ઉછાળતા હતા.
ગુજરાત પ્રધાન અરવિંદ રૈયાણી (તસવીર સૌજન્ય મિડ-ડે)
ગુજરાતના પ્રધાન અરવિંદ રૈયાણી ગુરુવારે રાજકોટના ગુંદા ગામમાં યોજાયેલા ખોડિયારમાના માંડવામાં ધૂણ્યા હતા એટલું જ નહીં, તેમણે પોતાની જાતને સાંકળ પણ મારી હતી. આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં વિરોધ પક્ષ કૉન્ગ્રેસે તેમની સામે વિરોધ નોંધાવતાં આવાં કામો દ્વારા અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો આરોપ મૂક્યો હતો. જોકે રૈયાણી તેમ જ બીજેપીએ કૉન્ગ્રેસના આરોપને ફગાવી દેતાં કહ્યું હતું કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તફાવત છે. વાઇરલ વિડિયોમાં ટ્રાન્સપોર્ટ, સિવિલ એવિએશન ઍન્ડ ટૂરિઝમ પ્રધાન માંડવામાં બેસીને પોતાની પીઠ પર સાંકળ મારી રહ્યા છે ત્યારે લોકો પૈસા પણ ઉછાળતા હતા.