Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જે લોકશાહીએ રાજવીપણું લઈ લીધું એ જ લોકશાહી પર્વની ઉજવણી રાજવી ઠાઠ સાથે

જે લોકશાહીએ રાજવીપણું લઈ લીધું એ જ લોકશાહી પર્વની ઉજવણી રાજવી ઠાઠ સાથે

02 December, 2022 09:02 AM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

રાજકોટના રાજવી માંધાતાસિંહ શાહી ઠાઠ સાથે પોતાની ફૅમિલી સાથે વિન્ટેજ કારમાં વોટ આપવા ગયા

તસવીર : દર્શન ચોટલિયા

Gujarat Election

તસવીર : દર્શન ચોટલિયા


આઝાદી વખતે સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાંઓને સમજાવીને તેમને ભારતમાં વિલીન કર્યાં અને દેશમાં લોકશાહીનો અમલ થયો. જે લોકશાહીને કારણે પોતે રજવાડાં છોડવાં પડ્યાં એ લોકશાહી સ્વાભાવિક રીતે મનમાં સહેજ ખટકે, પણ રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાની વાત જુદી છે. જે લોકશાહીએ રાજવીપણું લઈ લીધું એ જ લોકશાહીના પર્વ એવા મતદાનની ઉજવણી માટે તેઓ રાજવી ઠાઠ સાથે પોતાની ફૅમિલી સાથે રવાના થયા અને એ પણ એ જ ગાડીમાં જે ગાડીનો ઉપયોગ સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી વખતે કર્યો હતો.

ગુજરાતમાં ગઈ કાલે થયેલા પ્રથમ તબક્કાના મતદાન માટે ફૅમિલી સહિત મતદાનમથકે ગયેલા માંધાતાસિંહે જે ગાડી વાપરી હતી એ ગાડીમાં સરદાર પટેલ ૧૯૪૭માં કાઠિયાવાડમાં ફર્યા હતા અને આજુબાજુનાં રજવાડાંને વિલીન થવા માટે સમજાવ્યા હતા. માંધાતાસિંહે કહ્યું કે ‘મતદાન ખરેખર બહુ પવિત્ર છે અને એના થકી જ લોકશાહી ટકી શકે. ૭૫ વર્ષથી આપણે ત્યાં જે લોકશાહી છે એ એકેએક મતનું અને એના મતદારોએ લીધેલી તસ્દીનું પરિણામ છે એ એળે ન જવું જોઈએ. દરેકે મતદાન કરવું જ જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2022 09:02 AM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK