સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટમાં બુધવારે સાંજે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકમેળો ખુલ્લો મૂક્યો હતો
ભૂપેન્દ્ર પટેલ તેમ જ અન્ય નેતાઓ વિશાળ ફજર ફાળકામાં બેઠા હતા
સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટમાં બુધવારે સાંજે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકમેળો ખુલ્લો મૂક્યો હતો. શ્રાવણના તહેવારના પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં લોકો સાથે રાજનેતાઓએ પણ મેળાની મોજ માણી હતી. ભૂપેન્દ્ર પટેલ, કર્ણાટકના ભૂતપૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ગુજરાતના પ્રધાનમંડળના સભ્યો તેમ જ અન્ય નેતાઓ વિશાળ ફજર ફાળકામાં બેઠા હતા અને આનંદ માણ્યો હતો.