અમદાવાદમાં યાત્રાની શરૂઆત શુક્રવારે 1 જુલાઈથી શરી થઈ. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વિધિસર પહિંદ વિધિ દ્વારા રથયાત્રાની શરૂઆત કરી છે. આ અવસરે તેમણે સોનાનાં ઝાડૂથી રસ્તો સાફ કર્યો.
Jagannath Yatra 2022
ભૂપેન્દ્ર પટેલ (ફાઈલ તસવીર)
ગુજરાતના અમદાવાદમાં પણ પુરીની જેમ જ ભગવાન જગન્નાથ (Jagannath Rath Yatra 2022)ની યાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદમાં યાત્રાની શરૂઆત શુક્રવારે 1 જુલાઈથી શરી થઈ. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વિધિસર પહિંદ વિધિ દ્વારા રથયાત્રાની શરૂઆત કરી છે. આ અવસરે તેમણે સોનાનાં ઝાડૂથી રસ્તો સાફ કર્યો.
અમદાવાદ (Ahmedabad) શહેરના 19 કિમી ક્ષેત્રમાં આ રથયાત્રા નીકળશે. જગન્નાથ મંદિરમાંથી શરૂ થઈને સરસપુર પહોંચશે, જેને ભગવાન જગન્નાથના મામાનું ઘર કહેવામાં આવે છે. ત્યાર બાદ પ્રેમ દરવાજાથી થતા આ પવિત્ર રથયાત્રા સાંજે પાછા જગન્નાથ મંદિર આવશે. આ પવિત્ર રથયાત્રામાં 17 હાથી યાત્રાની આગેવાની કરતા ચાલશે, તેની પાછળ 101 ટ્રકમાં ભગવાન જગન્નાથની લીલા તેમજ સનાતન ધર્મ સાથે જોડાયેલી અન્ય કથા પ્રસંગોની ઝાંખી ચાલશે, જેના પછી ભગવાન જગન્નાથ મોટા ભાઈ બળરામ તેમજ બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થઈને શહરેમાં ભ્રમણ કરશે.
ADVERTISEMENT
કૉંગ્રેસ નેતાઓએ પણ કરી પદયાત્રા
કૉંગ્રેસની ગુજરાત એકમના નેતાઓએ ડિસેમ્બર મહિનામાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત માટે ભગવાનના આશીર્વાદ લેવા માટે ગુરુવારે પાર્ટીના મુખ્યાલયથી અહીં ભગવાન જગન્નાથ મંદિર સુધી પદયાત્રા (Jagannath Rath Yatra)કરી. આ કદાચ પહેલી વાર હતું રે રાજ્યમાં લગભગ 27 વર્ષથી સત્તામાંથી બહાર કૉંગ્રેસે પાલદી ક્ષેત્રમાં પોતાની ઑફિસથી જમાલપુરમાં ભગવાન જગન્નાથ મંદિર સુધી રથ યાત્રા પહેલા આ રીતે યાત્રા કરી.
અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ૧૪૫ મી રથયાત્રાના અવસરે પહિંદ વિધિ કરીને ભગવાનની રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 1, 2022
ભગવાન સમક્ષ ગુજરાતના અને દેશના લોકોની સુખ, શાંતિ અને સર્વાંગી વિકાસની પ્રાર્થના કરી.
ભક્તિમય માહોલની એક ઝલક. pic.twitter.com/ha6mpXVnsl
કૉંગ્રેસ નેતાઓએ 145મી રથયાત્રાના અવસરે લગભગ બે કિલોમીટરનો પ્રવાસ કરી 145 કિલોનો લાડવો મંદિરમાં ચડાવ્યો.
કૉંગ્રેસની ગુજરાત એકમના અધ્યક્ષ જગદીશશ ઠાકોરે મંદિર જતાં રસ્તામાં કહ્યું કે અમે ભગવાન જગન્નાથને 145 કિલોનો આ લાડવો અર્પણ કરશું અને આગામી ચૂંટણીમાં અમારી જીત માટે તેમના આશીર્વાદ લેશું. અમે ભગવાન સામે દેશને તાનાશાહીમાંથી મુક્ત કરવાની પણ પ્રાર્થના કરશું.