Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અદ્યતન સુવિધાઓથી સજ્જ છે એરપોર્ટ જેવું ગાંધીનગરનું રેલવે સ્ટેશન, જુઓ ઝલક

અદ્યતન સુવિધાઓથી સજ્જ છે એરપોર્ટ જેવું ગાંધીનગરનું રેલવે સ્ટેશન, જુઓ ઝલક

15 July, 2021 06:04 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગાંધીનગરમાં પુનઃ નિર્મિત `ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન` તેમજ પંચતારક હોટેલનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે. આ સ્ટેશન ઓરપોર્ટ જેવો અનુભવ કરાવે તેવું છે. તમે જ જોઈલો અહીં...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્યના  પાટનગર ગાંધીનગરમાં પુનઃ નિર્મિત `ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન` તેમજ પંચતારક હોટેલનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે. આવતી કાલે એટલે કે શુક્રવારે વડાપ્રધાન મોદી અદ્યતન સુવિધાઓથી સજ્જ આ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. આ સાથે ગુજરાતને અનેકવિધ વિકાસકામોની ભેટ આપશે. વડાપ્રધાન આવતીકાલે બપોરે 4 કલાકે ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલ્વે સ્ટેશન સહીત આઠ જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઓનલાઈન લોકાર્પણ કરશે.

મહાત્મા મંદિર, મેટ્રો રેલ, અમદાવાદ-ગાંધીનગરને જોડતા છ-માર્ગીય ધોરીમાર્ગ, રક્ષા શક્તિ યુનિવર્સિટી, ગિફ્ટ-સીટી, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી સહિતના સંખ્યાબંધ અત્યાધુનિક પ્રકલ્પોની માફક `મહાત્મા મંદિર`ની નજીકમાં જ અદ્યતન નવિનીકરણ સાથે તૈયાર થયેલા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનમાં 3 પ્લેટફોર્મ્સનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે.




ગાંધીનગર રેલવે સ્ટેશનમાં  2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રીયન (રાહદારી) સબ-વે છે, જે પ્લેટફોર્મ્સને જોડે છે. આ ઉપરાંત, અલગ અલગ સ્થળે આશરે 300 વ્યક્તિઓ માટે વેઈટિંગ રુમ, બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થના ખંડ તથા પ્રાથમિક સારવારનો ખંડ, LED સ્ક્રીન સાથે આર્ટ ગેલેરી માટેનો ડિસ્પ્લે એરિયા, ઑડિયો-વિડીયો, 105 મીટર લાબું કોલમ તથા સેન્ટ્રલી એર-કન્ડીશંડ મલ્ટિપર્પસ હૉલ સાથે એલ્યુમિનમની છત ધરાવતું સ્ટેશન છે. આ સ્ટેશનની વિશેષતા છે કે તે દિવ્યાંગો માટે ખુબ જ સાનુકૂળ છે.


 `ગુજરાતને દેશના સૌથી વિકસિત રાજ્ય તરીકે આગળ વધારવો છે`  આ શબ્દ છે નરેન્દ્ર મોદીના. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે સંકલ્પ કર્યો હતો. તેમની આ સંકલ્પનાના ભાગરૂપે જ ગાંધીનગર ખાતે વૈશ્વિક સ્તરનું `મહાત્મા મંદિર કન્વેનશન સેન્ટર કોમ્પ્લેક્સ` ઉભુ થયુ જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ સહિતની અનેકવિધ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ, કોન્ફરન્સ, પ્રદર્શનો અને ઇવેન્ટ્સનું સાક્ષી રહ્યું છે.

આ પણ વાંચોઃં જોઈ લો, મોદીના ગામનું નવુંનક્કોર રેલવે સ્ટેશન

`મહાત્મા મંદિર` ખાતે નિયમિત રીતે યોજાતી દ્વિવાર્ષિક `વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ` બાદ તો આ સ્થળનું આકર્ષણ સૌના માટે અનેકગણું વધી ગયું છે. આ સ્થળ વિશ્વના અનેકાનેક દેશોના પ્રમુખો, વડાપ્રધાનો, સાંસદો, રાજદૂતો, ઉદ્યોગ સાહસિકો, વિજ્ઞાનીઓ અને શિક્ષણવિદો માટે મુખ્ય યજમાન સ્થળ બની ગયું છે.


ગુજરાત સરકારની 74% અને રેલવે મંત્રાલયની 24%ની ભાગીદારીથી આ કેપિટલ રેલવે સ્ટેશનનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. વિકાસ અને આધુનિકીકરણની સાથે આ રેલવે સ્ટેશનની પાસે જ નવનિર્માણાધીન પંચતારક હોટેલ પણ બનાવવામાં આવી છે , જે દેશ-વિદેશના પ્રતિનિધિઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ અદ્યતન નવિનીકરણ પામેલું રેલવે સ્ટેશન અને હોટેલનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે તેની અવકાશી ધરી ગુજરાત વિધાનસભાના ભવન સાથે એક હારમાં દેખાય !

 

 

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2021 06:04 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK