Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં હવે સૂર્યાસ્ત પછી પણ અંતિમ ક્રિયાના કિસ્સા બનવા લાગ્યા

ગુજરાતમાં હવે સૂર્યાસ્ત પછી પણ અંતિમ ક્રિયાના કિસ્સા બનવા લાગ્યા

15 April, 2021 11:40 AM IST | Ahmedabad
Agency

કોવિડને લીધે થતા મૃત્યુને કારણે સ્મશાનગૃહોમાં લાંબી લાઇનો લાગતાં પરંપરા નાછૂટકે તોડવી પડી રહી છે

GMD Logo

GMD Logo


છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન કોવિડ-19ના કેસમાં આવેલા જબ્બર ઉછાળાને કારણે કોવિડ-19 તેમ જ અન્ય રોગોથી મૃત્યુ પામનારાઓને અંતિમ સંસ્કાર માટે લાંબો સમય રાહ જોવી પડી રહી છે. સામાન્યપણે હિન્દુઓમાં સૂર્યાસ્ત પછી અને રાતના સમયે મૃતદેહના અંતિમ સંસ્કાર વર્જ્ય છે, પરંતુ સ્મશાનગૃહમાં આવી રહેલા મૃતદેહોની સંખ્યામાં થયેલા નોંધપાત્ર વધારાને પગલે હવે કેટલાક કિસ્સામાં તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ બચતો નથી અને તેમના દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલાં સુરતના ઉમરા વિસ્તારમાં એક જ ચિતા પર એકસાથે પચીસ મૃતદેહના  અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.  અમદાવાદના વાડજ અને દૂધેશ્વર સ્મશાનગૃહ તેમ જ વડોદરામાં પણ લોકોને લાંબો સમય (લગભગ ૮-૯ કલાક) રાહ જોયા બાદ રાતના સમયે પોતાના સગાના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હોવાનું જણાવતાં વડોદરાની મ્યુનિસિપલ કમિશનની સ્થાયી સમિતિના ચૅરમૅન હિતેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ સમસ્યાના ઉકેલ માટે કેટલાંક સ્મશાનગૃહોમાં મેટલ પાયર્સ ઉમેર્યા છે તેમ જ નિષ્ફળ ગયેલી સુવિધાઓ પણ ફરી શરૂ કરાઈ છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2021 11:40 AM IST | Ahmedabad | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK