આ મહિનાના આરંભના દસ દિવસમાં એ ઇન્જેક્શન્સના ૧.૦૫ લાખ વાયલ્સ સરકારી હૉસ્પિટલો દ્વારા જરૂરિયાતમંદ દરદીઓને વિતરિત કરવામાં આવ્યા હતા.’
વિજય રૂપાણી
અમદાવાદ : (પી.ટી.આઇ.) કોવિડ-19 વાઇરસના ઇન્ફેક્શનની સારવારની મહત્ત્વની દવા રેમડેસિવિર ઇન્જેક્શનની તંગીના ઊહાપોહ વચ્ચે છેલ્લા દસ દિવસમાં એ ઇન્જેક્શન્સના ૨.૮ લાખ ડોઝનું રાજ્યમાં વિતરણ કર્યાની જાહેરાત ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. ઉત્તર ગુજરાતના પાટણમાં વિજય રૂપાણીએ પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકારે ૧ એપ્રિલથી ૧૦ એપ્રિલ વચ્ચે ૧.૮૦ લાખ રેમડેસિવિર ઇન્જેક્શન્સ પ્રાઇવેટ ફાર્માસિસ્ટ્સને વિતરિત કર્યા હતા. આ મહિનાના આરંભના દસ દિવસમાં એ ઇન્જેક્શન્સના ૧.૦૫ લાખ વાયલ્સ સરકારી હૉસ્પિટલો દ્વારા જરૂરિયાતમંદ દરદીઓને વિતરિત કરવામાં આવ્યા હતા.’